Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
80 કરોડ લોકોને એક વર્ષ સુધી ફ્રી માં મળશે ઘઉં અને ચોખા, કેન્દ્ર સરકારે કરી સૌથી મોટી જાહેરાત - GUJJUFAN

80 કરોડ લોકોને એક વર્ષ સુધી ફ્રી માં મળશે ઘઉં અને ચોખા, કેન્દ્ર સરકારે કરી સૌથી મોટી જાહેરાત

કેન્દ્ર સરકાર ગરીબોને મફત અનાજ આપવા અંગે કેબિનેટમાં મોટો નિર્ણય લીધો છે. NFSA હેઠળ 80 કરોડથી વધુ લોકોને મફત અનાજ મળશે. કેન્દ્ર સરકારે 2 લાખ કરોડ રૂપિયાના ખર્ચ કરી રહી છે. શુક્રવારે કેન્દ્ર સરકારે ગરીબને મફત અનાજ આપવા અંગે કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય લીધો છે. કેબિનેટ બેઠકમાં જણાવ્યું હતું કે, સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ દેશના 80 કરોડ લોકોને એક વર્ષ માટે મફત રાશન લંબાવ્યું છે.

તેનાથી કેન્દ્ર સરકાર 2 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહી છે. કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પિયુષ ગોહિલે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ સરકાર અનુક્રમે 3, 2, 1 રૂપિયા પ્રતિ કિલો ના દરે ચોખા ઘઉં પ્રદાન કરી રહી છે. સરકારે નિર્ણય લીધો છે કે, ડિસેમ્બર 2023 સુધી તે સંપૂર્ણપણે મફત રહેશે.

યોજનાનો સમય મર્યાદામાં ત્રણ મહિના માટે વધારી હતી. અગાઉ કેન્દ્રીય મંત્રી એ જણાવ્યા અનુસાર સપ્ટેમ્બરમાં સરકારી આ યોજનાની સમય મર્યાદામાં ત્રણ મહિના માટે વધારીને 31 ડિસેમ્બર સુધી કરી હતી. આ યોજના મહામારીના સમયે ગરીબ લોકોને રાહત આપવા માટે લાવવામાં આવી હતી.

છેલ્લા 28 મહિનામાં સરકારે ગરીબને મફત રાશન પર લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. 2022માં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના લાગુ કરવામાં આવી હતી. દેશના 80 કરોડ લોકોને આ યોજનાનો લાભ મળ્યો છે. આ અંતર્ગત બીપીએલ કાર્ડ ધરાવતા પરિવારને દર મહિને વ્યક્તિ દીઠ 4 કિલો ઘઉં અને એક કિલો ચોખા મફત આપવામાં આવે છે.

આ યોજના છેલ્લા કેટલાક મહિનાઓથી લંબાવવામાં આવી રહી છે. આ યોજના પ્રથમ તબક્કો ત્રણ મહિના એટલે કે એપ્રિલથી જૂન 2020 માટે માર્ચ 2020 માં લાગુ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી આ યોજના સાત તબક્કા ઓ છે. માર્ચ 2022 માં તેને 6 મહિના માટે એટલે કે, સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવ્યો હતો. તે પછી ત્રણ મહિના એટલે કે, ડિસેમ્બર અને હવે કેન્દ્રીય કેબિનેટ આ યોજનાની એક વર્ષ માટે લંબાવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *