Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
પાટીદાર સમાજને પડી એક મોટી ખોટ, આ દિગ્ગજના નિધનથી સમાજમાં શોકનો માહોલ - GUJJUFAN

પાટીદાર સમાજને પડી એક મોટી ખોટ, આ દિગ્ગજના નિધનથી સમાજમાં શોકનો માહોલ

ગુજરાત માં કડવા પાટીદાર સમાજના દિગ્ગજ આગેવાનોને ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ વાસુદેવભાઈ પટેલનું નિધન થયું છે. સમાજના અગ્રણી વાસુદેવભાઈ પટેલ 80 વર્ષની વયે મહામારીને મહાત આપી હતી. પણ ઇન્ટર ઓર્ગેન ડેમેજ હોવાને કારણે તેમનું નિધન થયું છે વાસુદેવભાઈ પટેલની હોસ્પિટલમાં સારવાર સારવાર દરમિયાન સોમવારે સવારે અવસાન થતાં પાટીદાર સમાજમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

વાસુદેવ તરીકે જાણીતા વાસુદેવભાઈ પટેલ ની કડવા પાટીદારોની આસ્થાના કેન્દ્ર ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ તરીકે એક માસ અગાઉ જ નિમણૂક કરાઇ હતી.

આ ઉપરાંત અમદાવાદમાં સોલા ખાતે ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા નિર્માણથી ઉમિયાધામના નિર્માણ કાર્યોમાં પણ તેમનું મહત્ત્વનું યોગદાન હતું.

મહામારીની ત્રીજી લહેર શરૂ થતાં 20 ડિસેમ્બરે વાસુદેવભાઈ પટેલ અગાઉ મહામારીની ઝપેટમાં આવી ગયા હતા. તેમની અમદાવાદ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી પાંચ દિવસ અગાઉ જે સજા થઈ ગયા હતા,

પણ 80 વર્ષની ઉંમરે તેઓનું નિધન થયું છે. ખાખરિયા ઝાલાવાડી કડવા પાટીદાર સમાજ કેળવણી મંડળ અમદાવાદ ની સ્થાપના કર્યા બાદ કડીમાં સમાજ પ્રેરિત સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ તરીકે કામ કર્યું હતું.

સામાજિક અને ધાર્મિક કુનેહ સાથે સમાજ ઉત્થાનના કાર્યો થકી પાટીદાર અનામત આંદોલન વખતે પાટીદારો અને સરકાર વચ્ચે મધ્યસ્થી ની ભૂમિકા ભજવી હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *