AAP : જામનગરમાં આજે વકીલ અને ઉદ્યોગપતિ સહિત 200 કાર્યકરો આપ માં જોડાશે.

વિધાનસભાની ચૂંટણી ના આગમન પહેલા જ આમ આદમી પાર્ટી દિવસેને દિવસે મજબૂત બની રહી છે અને લોકપ્રિયતા વધી રહી છે. ઉદ્યોગપતિઓ, સેવાભાવીઓ, રાજકીય અગ્રણીઓ સહિતના આગેવાનો વાજતે ગાજતે આપ માં જોડાઈ રહ્યા છે. તેવા સંજોગોમાં આજે જામનગરમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાઓની હાજરીમાં જામનગરના જાણીતા એડવોકેટ સહિત 200 જેટલા કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

આમ આદમી પાર્ટીની રાજનીતિથી પ્રભાવિત થઈને મોટી સંખ્યામાં અગ્રણીઓમાં આમ આદમીનું ઝાડૂ પકડી રહ્યા છે.આમ આદમી પાર્ટીની સક્રિયતા ભાજપ માટે ચિંતાનો વિષય બની ગયો છે.

તેવામાં જામનગરના જકાતનાકા વિસ્તારમાં નારાયણ નગર માં આવેલ નારણભાઈ કચરાભાઈ ગલાણી લેઉવા પટેલ સમાજ ખાતે આજે-ગુરુવારે 6 વાગ્યે આમ આદમી પાર્ટીના નેતા મહેશભાઈ સવાણી અધ્યક્ષતામાં જાણીતા એડવોકેટ પ્રકાશભાઈ દોંગા સહિત 200 જેટલા કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરશે.

ભાજપ અને કોંગ્રેસ થી કંટાળીને લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. કારણ કે, આમ આદમી પાર્ટીએ લોકો માટે વિકલ્પ બની ગયો છે.

આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના નેતા નેતા અને ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણી પ્રદેશ સંગઠન મંત્રી હરજીભાઇ સહિતના અધ્યક્ષ સ્થાને યોજાશે. જેમાં 200 જેટલા કાર્યકરો આમ આદમી પાર્ટીનો ભેખ ધારણ કરશે તેમ જામનગર આમ આદમી પાર્ટીની યાદીમાં જણાવ્યું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *