AAP : ઇસરી માં આમ આદમી પાર્ટીનો જન સંવાદ કાર્યક્રમ યોજાયો, જાણો શું .
ઇસરી ગામે 100 વધુ લોકોએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો. આગામી દિવસોમાં વધુ આગેવાનો આમ આદમી પાર્ટી છોડવાના સ્પષ્ટ સંકેત આપ્યા. અરવલ્લી જિલ્લામાં પાર્ટી ધીમે ધીમે પોતાનું વર્ચસ્વ વધારે રહી છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા ઈશુદાન ગઢવી, ગુજરાત ખેડૂત સમાજના આગેવાનો સાગર રબારી, લોક ગાયક એવા વિજય સુવાળા સહિતના અનેક જોડાયા છે.
ત્યારે હવે આમ આદમી પાર્ટી પોતાનો વર્ચસ્વ મજબૂત બનાવવા ગુજરાતમાં પગ પેસારો કરી રહી છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ પાર્ટી સામે ભારે પડી શકે તેવી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
આમ આદમી પાર્ટી દ્વારા ગામે ગામે જઈને જન સંવાદ કાર્યક્રમ કરી રહી છે.ભાજપ પાર્ટી ના અસંતોષને કારણે હવે ઇસરી પંથકમાં લોકો આમ આદમી પાર્ટી માં જોડાવા લાગ્યા છે.
જેમાં આજે ઇસરી ગામ એ જ સંવેદના કાર્યક્રમ યોજાયો ત્યારે 40 જેટલા કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીમાં જોડાયા, અને આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યું. આજે ગામે ગામ અને શહેર-શહેર માંથી આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે.
તેમજ મેઘરજ મુકામે પણ 50 થી વધુ કાર્યકર્તાઓ આપમાં જોડાયા ત્યારે હવે આમ આદમી પાર્ટી પોતાનું પક્ષ મજબૂત બનાવી રહી છે, અને તેનું વર્ચસ્વ બનાવી રહી છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!