AAP-કોંગ્રેસને નહીં ફાવવા દે ભાજપ, વિજય રૂપાણીના રાજીનામાની સાથે જ…

ગુજરાતમાં આજે રાજકીય ભૂકંપ આવ્યો છે. રાજ્ય સરકારના મુખ્યમંત્રી પરથી વિજય રૂપાણી રાજીનામું આપ્યું છે. વિજય રૂપાણીના રાજીનામા બાદ ગુજરાતના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. રાજ્યમાં આગામી મુખ્યમંત્રી કોણ બનશે તેને લઇને ચર્ચા ચાલી રહી છે, ત્યારે રાજકીય પંડિતોનું માનવું છે કે, હવે ભાજપ પહેલા વિધાનસભા ભંગ કરી દેશે.

નોંધનીય છે કે, સૂત્રો અનુસાર ભારતીય જનતા પાર્ટીએ મહામારી વાયરસ ની બીજી લહેર બાદ એકાંતર સર્વે કરાયો હતો. અને તેમાં જનતાનો શું મૂડ છે તે જાણવા માટેનો પ્રયાસ કર્યો હતો,

એવામાં ગુજરાતમાં બે અલગ અલગ ફોર્મ્યુલા પર ભાજપમાં વિચારણા ચાલી રહી હતી કે, ગુજરાતમાં પાટીદાર સીએમ અને અન્ય બે જાતિઓમાંથી બે નાયબ મુખ્યમંત્રી બનાવી આખા સરકાર ચલાવવામાં આવે.

અને બીજી ફોર્મુલા કે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી સાથે ગુજરાતની ચૂંટણી કરી દેવામાં આવે. ગુજરાતમાં વહેલી ચૂંટણીની શક્યતા ના એંધાણ વર્તાઇ રહ્યા છે, સાથે ચૂંટણી ફેબ્રુઆરીમાં શકે છે.

ચૂંટણીઓ મહામારીમાં ભાજપને લાગ્યું કે, પાર્ટીને નુકસાન થયું છે. અને સાથે સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને તૈયારી કરવાનો મોકો નહીં મળે. એ મુદ્દાને ધ્યાનમાં રાખી તેઓ આગામી રણનીતિ તૈયાર કરી રહ્યા છે.

ભાજપના ધારાસભ્ય માં ભારે બેચેની છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી પોતાના બધા ધારાસભ્યોને આવતીકાલે ગાંધીનગરમાં જ રહેવાના આદેશ આપ્યા છે. આવતીકાલે જ ભારતીય જનતા પાર્ટી દ્વારા ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *