આપ / ઈશુદાન ગઢવીનું કડક વલણ, અધિકારી હોય કે પદાધિકારી ભ્રષ્ટાચારની ફાઈલ…
આમ આદમી પાર્ટી સંવેદના મુલાકાત અંતર્ગત ગામે ગામે જઈને લોકો ને સમસ્યાનો હલ કરે છે. અને અમુક સમસ્યા જે મોટી હોય તેને ખાતરી આપે છે કે અમારી સરકાર બન્યા પછી અમે તે કામ કરી નાખશો. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા અને આપ નેતા ઈશુદાન ગઢવી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.
નગરપાલિકા નેતાઓની બુકિંગ રદ કરી દેતાં તેને ખાતે આવેલા સુરત જિલ્લા રોહિત સમાજની વાડી ખાતે કાર્યક્રમ યોજ્યો હતો. કાર્યક્રમ સુરત જિલ્લા ભાજપના માજી પ્રમુખ રાજેન્દ્ર સોલંકી અને માજી ધારાસભ્ય પ્રવિણભાઇ રાઠોડ સહિતના 200 જેટલા કાર્યકરો આપનો ખેસ ધારણ કર્યો હતો.
આપ નેતા ઈશુદાન ગઢવી જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી કમિશનની નહીં પણ મિશન ની પાર્ટી છે. તેમણે હાલ નું બુકિંગ રદ થવાના મામલે જેણે પણ ના પાડી છે.
તે અધિકારી હોય કે નેતા તેની ભ્રષ્ટાચાર ની ફાઈલ એક અઠવાડિયામાં તૈયાર કરવા સ્થાનિક આપ કાર્યકરો અપીલ કરી હતી.
પ્રવીણ રાઠોડે આરોપ લગાવી ભાજપ પર પ્રહાર કર્યો હતો કે, બારડોલીમાં વિકાસ ના નામે સામાન્ય લોકોને હેરાન કરી ભ્રષ્ટાચારની નદી વહેતી કરી છે.
રાજેન્દ્ર સોલંકીએ ભાજપ પર આરોપ લગાવતા કહ્યું હતું કે, ટાઉન હોલ બુકિંગ રાજકીય કારણે સર રદ કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં 200 જેટલા કાર્યકરો આપમાં જોડાયા હતા.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!