AAP : ઈસુદાન ગઢવી એ રૂપાણી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ખેડૂતોનું …
આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને બધી પાર્ટીઓ તડામાર તૈયારી કરવા લાગી છે ત્યારે દિવસેને દિવસે આમ આદમી પાર્ટી નો વર્ચસ્વ વધી રહ્યું છે. અલગ અલગ જિલ્લા તાલુકા અને શહેરોઆમ આદમી પાર્ટીને સ્વીકાર્ય રહી છે. અને કેટલાક સામાજિક કાર્યકર્તાઓ અને અન્ય રાજકીય પક્ષોના નેતાઓ પણ આમ આદમી પાર્ટી માં જોડાઈ રહ્યા છે.મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે.
તાજેતરમાં વિજય રૂપાણી સરકાર ના પાંચ વર્ષ પુરા થયા છે ત્યારે તે અલગ-અલગ ઉજવણી કરી રહી છે. આજે ભાજપ દ્વારા રાજ્યમાં ખેડૂત સન્માન દિવસની ઉજવણી કરવામાં આવી છે. જેનો વિરોધ આમદની પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે.
આમ આદમી પાર્ટીએ પ્રહાર કરતાં કહ્યું કે ભાજપ સરકાર ખેડૂત વિરોધી પાર્ટી છે આમ આદમી પાર્ટીના કિર્તીદાન ગઢવીએ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે ભાજપ સરકાર ખેડૂતોને પૂરતું પાણી અને વીજળી આપી શકતી નથી ખેડૂતોનો પાક ને ભૂંડ અને રોજડા ને લીધે ખૂબ જ નુકસાન થાય છે.
અને તેઓએ કહ્યું હતું કે સૌથી મોટી દુઃખની વાત તો એ છે કે આજે વિમાન કંપની ફાયદો કરવા માટે ભાજપ સરકાર દ્વારા 50 ટકા સબસીડી થી ઇંધણ પૂરું પાડવામાં આવે છે.
ખેતી કરવા માટે ટ્રેક્ટર એ પાયાની જરૂરિયાત છે ત્યારે ડીઝલનો ભાવ આસમાને છે. જેના લીધે ખેતી મોંઘી બની છે બિયારણ પણ મોંઘા બન્યા છે અને કેટલાક સ્થળો કે નકલી બિયારણ ના કારણે ખેડૂતોને પાકમાં ખુબ જ નુકસાન થાય છે. ઈશુદાન ગઢવી જણાવ્યું હતું કે હવે સરકારને ખેડૂત તરફી હોવાનો કોઈ હક નથી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!