આમ આદમી પાર્ટી બાદ હવે આ પક્ષની ગુજરાતમાં એન્ટ્રી, ભાજપની મુશ્કેલીમાં વધારો, જાણો.

અમદાવાદ : ગુજરાતમાં 2022 ની વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા જ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતના રાજકારણમાં પ્રવેશ અને જે રીતે સુરતમાં જીત મેળવીને રાજ્યમાં ચારે તરફ ફેલાઈ રહ્યું છે, ત્યાર બાદ હવે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ આજે ગુજરાતની રાજનીતિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે.

પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ગઢમાં મમતા દીદી ના ફોટા વાળા બેનરો લગાડવામાં આવ્યા છે. શહીદ દિવસ નિમિત્તે આજે મમતા બેનરજીની ગુજરાતની જનતાને સંબોધશે.

આમ આદમી બાદ હવે મમતા બેનર્જી તેનો પક્ષ ગુજરાત માં એન્ટ્રી કરે તેવી સંભાવના. આ પક્ષના આવવાથી ભાજપ ની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. અત્યારે આમ આદમી પાર્ટીનું સારું પ્રદર્શન જોવા મળે છે.

વડોદરા, અમદાવાદ અને સુરત સહિત ગુજરાતના ૩૩ થી ૩૫ જિલ્લાઓમાં મમતા દીદી નું સંબોધન પ્રસારિત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, 21 જુલાઈ ને યુવા કોંગ્રેસના સભ્યો ની યાદ માં શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે. જેઓ ૧૯૯૩માં કોલકાતામાં વિરોધ દરમ્યાન પોલીસ ફાયરિંગમાં શહીદ થઈ ગયા હતા. એ વખતે મમતા દીદી યુવા કોંગ્રેસનું નેતૃત્વ સંભાળતા હતા.

આગામી સમયમાં જોવા મળશે કે મમતા બેનરજીની એન્ટ્રી ભાજપ સરકારની મુશ્કેલીમાં વધારો કરે છે કે નહીં.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *