વરસાદને લઈને અંબાલાલ પટેલ બાદ શિવાલાલ પટેલે કરી આગાહી, જાણો.

સોશિયલ મીડિયા પર અવરજવર હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવતી હોય છે, ત્યારે હાલમાં પણ આગાહી કરી છે, અને સમાચાર સામે આવ્યા છે કે, સમગ્ર રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેવાની શક્યતા શિવાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે.

આની સાથે જ સવાલ પટેલે જણાવ્યું છે કે, દક્ષિણ ગુજરાતમાં હજુ બે દિવસ સુધી અતિભારે વરસાદ પડી શકે છે. તો મધ્ય ગુજરાતમાં કેટલાક સ્થળો પર હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

જ્યારે ઉત્તર ગુજરાત તથા અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ રહેશે, સાથે જ બનાસકાંઠા પાટણ મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના જિલ્લામાં વરસાદની સંભાવના નહિવત્ છે.

આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં હજુ પણ 48 ટકા જેટલી વરસાદની ઘટ રહેલી છે. ત્યારે અત્યાર સુધીમાં રાજ્યના મોસમ સરેરાશ 311.82 મિ.મી વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

ખેડૂતોના પાક સુકાઈ રહ્યા છે, ત્યારે આવી પરિસ્થિતિમાં ખેડૂતો સરકાર પાસે સિંચાઈના પાણીની માંગ કરી રહ્યા હતા. જો કે, હવે સરકાર દ્વારા ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યના 39 જળાશય માંથી કુલ 9.5લાખ એકર જમીનને સિંચાઈનું પાણી આપવાનું સરકારે નિર્ણય લીધો છે.અંબાલાલ પટેલ ની આગાહી બાદ શિવાલાલ પટેલે પણ આગાહી કરી છે કે, તમે પાંચ દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *