નરેશ પટેલ બાદ લાલજી પટેલે કહ્યું કે, ભાજપ એટલે પાટીદાર એવું કંઈ…
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારી અત્યારથી જ તડામાર શરૂ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, અલગ અલગ રાજકીય પક્ષોએ જનતા નો સંપર્ક કરવાનું શરૂ કરી દીધો છે. આમ આદમી પાર્ટીએ જનસવેદના યાત્રાથી લઈને લોકોની મુલાકાત શરુ કરી છે, સાથે પ્રસાર અને પ્રચાર કરી રહ્યા છે.
તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ જન આશીર્વાદ યાત્રાની શરૂઆત કરી લોકો સાથે મુલાકાત કરી રહ્યા છે, ત્યારે જન આશીર્વાદ યાત્રા દરમિયાન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પરષોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું હતું કે, ભાજપ એટલે પાટીદાર અને તેમના નિવેદનને લઈને હવે રાજકારણમાં હલચલ મચી ગઈ છે.
મનસુખ માંડવિયાએ નિવેદન આપ્યા બાદ ખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષ નરેશ પટેલ જણાવ્યું હતું કે, પહેલાથી હું કહેતો આવું છું કે પાટીદાર ભોળો સમાજ છે. પાટીદાર ની અંદર વિભાજન હોઈ શકે થોડા લોકો ભાજપમાં હોઈ શકે, પરંતુ ઘણા લોકો આમ આદમી પાર્ટીમાં પણ છે, અને કોંગ્રેસમાં પણ છે.
એટલે મનસુખ માંડવિયા ભાજપમાં હોય તો એમનો વિચાર હોઈ શકે, પરંતુ ખોડલધામ મંદિરના પટાંગણમાં થી હું એમ જ કહીશ કે દરેક સમાજના લોકો દરેક પક્ષની અંદર વહેંચાયેલા હોય તો તે તેના સ્થાને કામ કરે છે. નરેશ પટેલ બાદ હવે એસપીજીના પ્રમુખ લાલજી પટેલે પણ જણાવ્યું હતું કે, ભાજપ એટલે પાટીદાર એવું કંઈ નથી.
કોઈ ભૂલમાં પણ એવું ન માની લેવું પાટીદારો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સહિત બધા જ રાજકીય પક્ષોની સાથે છે.ગુજરાતમાં આમ આદમી પાર્ટી પાટીદારો જે રીતે જોડાઈ રહ્યા છે, તે જોઈને ભાજપને કેન્દ્રીય ગુજરાતની નેતાગીરી ચિંતામાં મુકાઈ ગઈ છે.
એટલા માટે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા ગુજરાતના પાટીદારના ગઢ સમાન સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં આશીર્વાદ યાત્રા અંતર્ગત લોકોની મુલાકાત કરી રહ્યા છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!