દિલ્હીથી પરત આવ્યા બાદ નરેશ પટેલે આપ્યુ મોટું નિવેદન, કહ્યું કોંગ્રેસને ડિમાન્ડ મૂકી છે..
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નરેશ પટેલને રાજકારણ કર્યું છે. એક બાજુ રાજનેતાઓ દ્વારા નરેશ પટેલ સાથે મુલાકાત કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ નરેશ પટેલ રાજકારણ માં જોડાવાને લઈને કોઈ સ્પષ્ટતા કરી નથી. તે કોઈ પાર્ટીમાં આવશે તેને લઈને પાટીદાર સમાજમાં ખૂબ ચર્ચા છે. ત્યારે 10 દિવસમાં રાજકારણ માં જોડાવા ને લઈને જાહેરાત કરશે.
તેવી સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે. મંગળવારે દિલ્હીથી પરત આવ્યા બાદ નરેશ પટેલ મોટું નિવેદન આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, આગામી 10 દિવસમાં રાજકારણનો નિર્ણય જાહેર કરી દઈશ નરેશ પટેલે કહ્યું હતું કે દિલ્હી ગયા ત્યારે મારી સાથે કોંગ્રેસના ધારાસભ્ય હતા.
ત્યાંથી હું બનારસ ગયો અને ત્યાંથી મુંબઈ જઈને પાછો આવ્યો છું. તેમણે હાઇકમાન્ડ સાથે મુલાકાત થઇ હોવાની વાત થી ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, હું બધી પાર્ટી માટે પોઝિટિવ છું.
ગુજરાતના વિકાસ થવો જોઇએ. નરેશ પટેલ કોંગ્રેસ દ્વારા મારી પાસે પ્રપોઝલ આવ્યું છે. અને ડિમાન્ડ એમના જ ધારાસભ્ય મૂકી છે. મેં કંઈ મૂકી નથી. ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે.
ત્યારે નરેશ પટેલને તેની પાર્ટીમાં લેવા માટે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જોર કરી રહી છે. નરેશ પટેલ બધી રાજકીય પાર્ટીના નેતાઓ સાથે બેઠક કરી રહ્યા છે. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે આ નરેશ પટેલ જલ્દીથી કોંગ્રેસમાં આવી જાય.
ઉલ્લેખનીય છે કે 2020 વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. એવામાં નરેશ પટેલને રાજકારણમાં જોડાવાની ચર્ચાએ જોર પકડયું છે. નરેશ પટેલ કોઈ રાજકીય પાર્ટી માં જોડાશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!