કેન્દ્ર સરકારના OBC કાયદામાં સુધારા પછી, પાટીદાર નેતા થયા સક્રિય..

કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડોક્ટર વિરેન્દ્રકુમાર લોકસભામાં ઓબીસી સમુદાયને અનામત આપતું બિલ રજુ કર્યું હતું. જે સર્વસંમતિથી પસાર થઈ ગયું હતું. વિપક્ષોએ પણ આ બિલને પૂરતો ટેકો આપવા સરકારનું કામ સરળ બનાવ્યું હતું. આ બિલ પસાર થયું હોવાથી હવેથી મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય ગુજરાતમાં પટેલ સમુદાય હરિયાણામાં જાટ સમુદાય તથા કર્ણાટકના લિંગાયત સમુદાયના ઓબીસી વર્ગમાં સામેલ થવાની આશા ફરી જીવંત થયો છે.

પાટીદાર અનામત આંદોલનના નેતા અને હાલ ભાજપમાં સક્રિય પટેલનું નિવેદન.ગુજરાતની વાત કરીએ તો અનામત મુદ્દે ભૂતકાળમાં મોટા આંદોલન થયા હતા. જે બાદ તેમને અન્ય કેટલીક સહાય કરવામાં આવી હતી, પણ સંપૂર્ણ અનામતની માંગ ઉભી ને ઉભી રહી હતી.

પણ આ બિલને જો પાસ થશે તો, પાટીદાર અનામત નો રસ્તો ચોખ્ખો દેખાય રહ્યો છે. કેન્દ્રીય સરકારને ઓબીસી કાયદામાં સુધારા ની તૈયારી પછી ગુજરાતમાં પાટીદાર નેતાઓ સક્રિય થઈ ગયા છે.

અનામત આંદોલનનો મોટો ચહેરો અને હાલમાં ભાજપના નેતા વરુણ પટેલ મોટું નિવેદન આપ્યું છે તેમને જણાવ્યું છે કે, પાટીદાર અનામતની અમારી માંગ ઉભી છે, આગળ સમાજ સાથે ચર્ચા કરીશું. મહત્વનું છે કે, જો મોદી સરકાર રજૂ કરેલી ઓબીસી કાયદામાં સુધારા બિલ લોકસભામાં સર્વાનુમતે પાસ થઈ ગયું છે.

તો રાજ્યસભામાં પણ કોઈ અડચણ વગર ખરડો પાસ કરવામાં આવે તો હવે રાજ્ય ઓબીસી નું લિસ્ટ બનાવી શકશે.પાટીદાર અનામત આંદોલનનો મોટો ચહેરો અને હાલ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે આ અંગે મોટું નિવેદન આપ્યું છે.

તેમને જણાવ્યું હતું કે, તમામ વિપક્ષોએ ઓબીસી કાયદાના સુધારા અને આવકાર્ય હોય તેમ હું પણ આવકારું છું. ગુજરાત સરકાર સામાજિક અને આર્થિક સ્થિતિને સમજીને જ્ઞાતિઓને સર્વે કરે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *