રાજકારણમાં હલચલ / હાર્દિક પટેલ બાદ પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ને લખ્યો પત્ર..

ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી વિધાનસભાનું ચોમાસું સત્ર બે દિવસ નહીં પરંતુ વધુ દિવસ માટે બોલાવીને ગુજરાતની પ્રજાને પજવતા પ્રશ્નોની ચર્ચા ગૃહમાં કરવાની માગણી કરતો. આજે એક પત્ર મુખ્યમંત્રી ઉપેન્દ્ર પટેલ ને લખ્યો છે. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી એ પત્રમાં જણાવ્યું છે કે, ગૃહના દિવસો લંબાવીને મહામારીમાં જીવ ગુમાવનાર લોકોના પરિવારજનોને રૂપિયા 4 લાખનું વળતર ચૂકવવાનું જાહેર કરવામાં આવે.

આ ઉપરાંત આ વર્ષે વાવાઝોડામાં ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ અને ભાવનગર જિલ્લામાં સરકારે જાહેર કરેલી સહાય માં વિલંબ ન કરે.

તાજેતરમાં સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, જૂનાગઢ, જિલ્લામાં અતિવૃષ્ટિ સર્જાયેલી નુકસાની જેવી કે તેમજ જમીનોની થયેલ નુકશાનીના અછત મેન્યુઅલ 2016 ની ગાઈડલાઈન મુજબ વળતર ચૂકવવા માં આવે.

મધ્યમ વર્ગીય પરિવાર ને શાળા-કોલેજમાં છ માસની ફી માફ કરવા, પ્રાથમિક શિક્ષકોને સમાન ધોરણે જૂની પેન્શન યોજના મુજબ પેન્શન ચૂકવવા સહિતના મુદ્દે ચર્ચા કરવાની માંગણી કરવામાં આવી છે.

વધુમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે, આજે રાજ્યની જનતા મોંઘવારીથી ત્રાસી ગઈ છે.

સરકાર ના આશીર્વાદથી છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્યમાં આવેલા ખાનગી શાળા અને કોલેજની ફી સંચાલકો નોકરી અને ધંધા ગુમાવનાર વાલીઓ પાસેથી ફી ઉઘરાવી દબાણ કરી રહ્યા છે. તમામ આવા પરિવારોને રાહત આપવા માટે ની માગણી કરી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *