મહેશ સવાણી અને વિજય સુવાળાના રાજીનામા બાદ આપ નેતા ગોપાલ ઇટાલીયા આપ્યો મોટો સંદેશ
વિધાનસભા 2022ની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી અને પડકારોનો સામનો કરી રહી છે. તાજેતરમાં જે પાર્ટીનો ગુજરાતમાં ઉદય થયો તેના સામનો કરવો પડી રહ્યો છે. કમલમ વિવાદ હોય તો કે દિગ્ગજ નેતાઓનો પક્ષ પલટો મુશ્કેલીઓ આમ આદમી પાર્ટીને પીછો છોડાવવા નું નામ જ લઈ રહી નથી.તાજેતરમાં પેપર લીક મુદ્દે આમ આદમી પાર્ટીએ કમલમનો ઘેરાવો કર્યો હતો.
ત્યારબાદ પાર્ટીના 70 જેટલા નેતા અને કાર્યકર્તાઓ ને જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા બાદ ઇશુંદાન ગઢવી નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અને આજે વિજય સુવાળા અંદાજે 2000 કાર્યકર્તા સાથે ભાજપમાં જોડાયા હતા.
આ કારણોસર ક્યાંકને ક્યાંક આમ આદમી પાર્ટીના કાર્યકરોનું મનોબળ છે ત્યારે તેમને પ્રોત્સાહન આપવા ગોપાલ ઇટાલીયા લખ્યું હતું કે, આપણે એક લાંબી લડાઈ લડવા જઈ રહ્યા છીએ.
આ સંઘર્ષ રસ્તા ઉપર આપણે એકલા ચાલવાનું છે. અને સતત ચાલતા જ રહેવાનું છે આપણી સામેના સંભવિત અને પડકારો સામે લડવા માટે આપણી જાતને તૈયાર કરવાની છે.
અને મનોબળ મક્કમ કરવાનું છે, સંઘર્ષ નો રસ્તો છે માટે કાચાપોચા ની ચિંતા કર્યા વગર હિંમતભેર લક્ષ્ય તરફ આગળ વધતું રહેવાનું છે.
પરંતુ લડતા રહીશું તો આપણી જીત નિશ્ચિત છે, તેઓ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીયા પત્ર લખીને જણાવ્યું હતું.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!