આપ બાદ કોંગ્રેસે પણ ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર, રાજકારણ ગરમાયું
ગુજરાતમાં ભાજપ સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે મુખ્યમંત્રી નો ચહેરો બદલી રહી છે. રૂપાણી ને બદલી હવે પાટીદાર ને ખુશ કરવા માટે પાટીદાર સમાજના મુખ્યમંત્રી બનાવ્યા છે. આ બધા ફેરફાર કરવા ના ઠેકો તો સી.આર.પાટીલ લીધો છે. આ પ્રકારની વાતો મંચ પરથી કોંગ્રેસ તો પણ શરમાય કરી હતી.
જેને કારણે ગુજરાતના રાજકારણમાં વિવાદ માં વધારો થયો છે નોંધનીય છે કે, સી.આર. પાટીલ ને આપ દ્વારા બુટલેગર ગણાવવામાં આવ્યા હતા. ત્યારે હવે કોંગ્રેસ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે.
એક કાર્યક્રમમાં લોકોને સંબોધતા કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ ભાજપ સરકાર પર નિશાન સાધતા આડકતરી રીતે સુરત શહેરના ડોન ગણાવ્યા હતા. જેને લઈને થોડા સમય માટે ઉપસ્થિત તમામ કોંગ્રેસના નેતાઓને હાજર લોકોને હાસ્યના મોજુ ફરી વળ્યું હતું.
રઘુ શર્માએ ભાજપ સરકાર નું નામ લીધા વગર તેના પર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ બુથ લેવલ પર કાર્યકર્તાઓ રાખશે તેમણે ઉમેર્યું હતું કે, રાહુલ ગાંધીનો સુરત કાર્યક્રમ કોઈ રાજકીય કારણ નથી.
પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અને નેતા વિપક્ષ બદલવાનું નક્કી હોવાની સત્તાવાર જાહેરાત તેમણે કરી હતી. કોંગ્રેસે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું
નિષ્ફળતા છુપાવવા માટે ભાજપ સરકારે મુખ્યમંત્રી નો ચહેરો બદલીને ભુપેન્દ્ર પટેલ ને ત્યાં બેસાડવામાં આવ્યા છે. કોંગ્રેસના પ્રભારી શર્માએ ભાજપ સરકાર અને સી.આર.પાટિલ પર આકરા પ્રહાર કર્યા હતા. રઘુ શર્માના નિવેદનથી રાજકારણ ગરમાયુ છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!