કૃષિમંત્રી રાઘવજી પટેલ નું મોટુ ચોકાવનારું નિવેદન કહ્યું કે, ખેડૂતોને સહાય નહીં મળે…
માઉન્ટ આબુ 10 જિલ્લાના 55 તાલુકામાં 1 ઇંચ વરસાદ થયો છે. મુખ્યમંત્રી કૃષિ સહાય પેકેજ-2 જાહેર કરશે. સપ્ટેમ્બર મહિનાના અને ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં રાજ્યના અનેક ભાગોમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને વ્યાપક નુકશાન થયું હતું. આથી આવા ખેડૂતોની મદદ માટે રાજ્ય સરકાર દ્વારા કૃષિ સહાય પેકેજ ની જાહેરાત કરવામાં આવી હતી જેની પ્રક્રિયા ચાલી રહી છે.
બીજા તરફ થોડા દિવસો પહેલા કમોસમી માવઠાને કારણે પાક નુકશાન ની ફરિયાદો ઉઠી હતી. જેને અનુસંધાને આજે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે મોટું નિવેદન આપ્યું છે.
રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે કમોસમી વરસાદને લઈને રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા તમામ જિલ્લાઓની સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
જેમાં રાજ્યના 10 જિલ્લાના 55 તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ થયો હોવાનું સામે આવ્યું છે.આ કોમર્સની માવઠાની કૃષિ સર્વે અહેવાલમાં કોઈ નુકસાન રિપોર્ટ રાજ્ય સરકારને પ્રાપ્ત થયો નથી
કમોસમી માવઠા નુકસાનના વળતરની માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી નથી. આખી માથામાં ખેડૂતોને નુકસાન ન થયું હોવાથી સહાય આપવાનું થતું નથી.
રાઘવજી પટેલે જણાવ્યું હતું કે અતિવૃષ્ટિ થયેલા નુકશાન માટે રાજ્ય સરકાર દ્વારા સૌપ્રથમ રાજકોટ, જામનગર અને જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં કૃષિ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!