અલ્પેશ કથીરિયાએ હાર્દિક પટેલ અંગે આપ્યું મોટું નિવેદન, કહ્યું પાટીદાર સમાજમાં..
ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પદેથી રાજીનામું આપી અને સોળમા દિવસે આજે હાર્દિક પટેલ ભાજપમાં જોડાઇ રહ્યા છે. ત્યારે આ મામલે પાટીદાર અનામત આંદોલનના મોટા ગજાના નેતા અલ્પેશ કથીરિયાએ મોટું નિવેદન આપ્યું છે. તેમને હાર્દિક પટેલને અભિનંદન પાઠવી તમે ભાજપમાં જાઓ પણ સમાજના લાંબા સમયના બે મોટા પ્રશ્નો ની વાળો આવે તે દિશામાં તાત્કાલિક કામ કરજો.
સમાજ સેવાના નામે ભાજપમાં સામેલ થયા બાદ સમાજની વર્ષો જૂની માંગ પર તમે શું કરો છો તે જોવાનું રહેશે ! વધુમાં તેમણે જણાવ્યું હતું કે, 2015માં ગુજરાતમાં થયેલા પાટીદાર અનામત આંદોલનથી રાજ્યમાં હાર્દિક પટેલ યુવા નેતા તરીકે ઉભરી આવ્યા હતા.
ત્યારબાદ તેમને રાજકારણમાં ડગ માંડ્યા હતા, અને પાટીદાર અનામત આંદોલનની આગેવાની કરનાર હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બનાવાયા હતા.
દોઢથી બે વર્ષ જેટલા સમયગાળો કાર્યકારી પ્રદેશ પ્રમુખ તરીકેનું પદ ભોગવ્યા બાદ કોંગ્રેસમાં પ્રજાના હિત ના કામો ન થતા હોવાનું કારણ જણાવી તેઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું.
અને આજે તેઓ ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરવા જઈ રહ્યા છે. અલ્પેશ કથીરિયાએ મીડિયા સામે નિવેદન આપતા જણાવ્યું હતું કે, 2015માં આંદોલન વેળા એ પાટીદાર સમાજના યુવાનો પર કેસ થયા હતા. અને પાટીદાર યુવાનોએ જીવ ગુમાવ્યા હતા.
ત્યારબાદ યુવાનો પર લગાવવામાં આવેલા કેસો પરત ખેંચવામાં આવે અને શહીદ યુવાનોના પરિવારજનોને નોકરી આપવામાં આવે. આ મામલે સરકાર સમક્ષ અનેક વખત વાત કરી હોવા છતાં પ્રશ્ન ઉકેલાયો નથી. આ મામલે સરકાર તરફથી આશ્વાસન સિવાય કશું મળ્યું નથી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!