Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
અલ્પેશ કથીરિયાએ ખોડલધામ અને ઉમિયાધામ સંસ્થાને આ મુદ્દે લખ્યો પત્ર - GUJJUFAN

અલ્પેશ કથીરિયાએ ખોડલધામ અને ઉમિયાધામ સંસ્થાને આ મુદ્દે લખ્યો પત્ર

ગુજરાતમાં વિધાનસભા 2022ની ચૂંટણી નજીક આવી રહ્યું છે. ચૂંટણીને લઈને પણ રાજકારણમાં હલચલ થઇ છે. ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે હવે ચૂંટણીના પહેલા જ પાટીદાર અનામત આંદોલન સમિતિ મેદાનમાં આવી છે. પાટીદાર સમાજની પડતર માગણીઓને ધ્યાનમાં લઈને અનામત માટે સર્વે કરવા બાબત જેવા અનેક મુદ્દા પર ચર્ચા કરવા માટે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

પાટીદાર અનામત આંદોલન સમિતિ અને સરદાર પટેલ સેવાદળ દ્વારા પાટીદાર સમાજની ધાર્મિક સંસ્થા ઊંઝા ઉમિયાધામ અને કાગવડ ખોડલધામ ના પ્રતિનિધિ અને આંદોલનકારીઓ ની

હાજરીમાં 4 ઓક્ટોબર 2021 ના રોજ ગાંધીનગરના 56 ભોગ રેસ્ટોરન્ટ ખાતે બપોરે 1 થી 5 વાગ્યા સુધી ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ચિંતન શિબિરને લઈને પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરિયાએ સમાજની બે મોટી ધાર્મિક સંસ્થા ખોડલધામ કાગવડ અને ઊંઝા ઉમિયા ધામ ને પત્ર લખીને જણાવ્યું હતું

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના કારણે સમગ્ર ભારતમાં બિનઅનામત વર્ગના 10% EWS નો લાભ મળતો થયો છે. ત્યારે વર્ષ 2017 થી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી તે મુજબ પડતર માંગણીઓ બાબતે મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું છે.

આ મિટિંગની અંદર ભારત સરકારના બંધારણીય સુધારા 127 મુજબ રાજ્ય સરકારને આપવામાં આવેલા અધિકાર મુજબ પાટીદાર સમાજની અનામત માંગણી બાબતે સર્વે ની અરજી બાબતે સહિત પરિવારને નોકરી આપવાની માંગણી નો ઉકેલ લાવવા બાબતે રજૂઆત.

પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા પોલીસ કેસ પરત ખેંચવા બાબતે રજૂઆત, મહિલા અનામત બાબતે રજૂઆત, અને જિલ્લા તાલુકા લેવલ સામાજિક સંગઠન બાબતે ના મુદ્દા પર મીટીંગમાં ચર્ચા કરવામાં આવશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *