નરેશ પટેલની રાજકારણમાં જોડાવાની ચર્ચા વચ્ચે અમિત શાહ આવ્યા ગુજરાતની મુલાકાતે..
કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ આવશે ગુજરાત. 10 એપ્રિલના રોજ ગુજરાત આવશે અમદાવાદમાં એક બાદ એક રાજકીય દિગ્ગજો નું આગમન થઈ રહ્યું છે. તે જોતા એવું લાગી રહ્યું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે નજીકમાં છે. કેન્દ્રીય ગૃહમંત્રી હમણાં થોડા દિવસ પહેલાં ગુજરાતની મુલાકાતે લઈને ગયા ત્યાર બાદ ફરી એકવાર તેઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.
પંદર દિવસમાં બીજી વાર ગુજરાત પ્રવાસ થવાનો છે. 10 એપ્રિલે ગુજરાતના પ્રવાસે આવશે. ગુજકોમાસોલ ભવનનું ઉદ્ઘાટન કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ 10 એપ્રિલે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.
તેઓ ગાંધીનગર ખાતે નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરશે, ત્યારબાદ ગુજકોમાસોલ સાથે સમીક્ષા બેઠક યોજશે. આ વખતે બે દિવસ ગુજરાત પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું છે.
તેઓ 10 અને 11 તારીખે ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. 26મી માર્ચે તેઓ અમદાવાદ આવ્યા હતા. 26મી માર્ચે અમદાવાદ આવશે, અને સાયન્સ સીટી તેમજ થલતેજમાં 306 કરોડ રૂપિયાના 900 આવાસ નું લોકાર્પણ કરશે.
150 કરોડના ખર્ચે આકાર પામેલા બ્રિજ સહિત 20 કરોડના ખર્ચે અમદાવાદ નારણપુરામાં આકાર પામેલા વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર ખુલ્લું મૂકયું હતું. ગોતા અને થલતેજમાં 20 કરોડના ખર્ચે આકાર પામેલા પ્રધાનમંત્રી આવાસ લોકાર્પણ કર્યું હતું.
કલોલ નગરપાલિકા ના ઉપક્રમે બીવીએમ ફાટક પરના ઓવરબ્રીજ અને સરદારબાગ નવીનીકરણ નું ખાતમુરત કરવામાં આવ્યું હતું. આંગણવાડી બહેનો અને આરોગ્ય વિભાગના કર્મીઓ ની કેન્સરની વહેલી તપાસ નિદાન માટેના તાલીમ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!