અમિત ચાવડા નું મોટું નિવેદન / ભાજપ નેતા પર પ્રહાર કરતા કહ્યું કે, સરદારના નામે..

2022 ની ગુજરાત ની વિધાનસભા ની ચૂંટણી નું એપીસેન્ટર કેવડીયાકોલોની અને સરદારની વિશ્વ સૌથી ઉંચી પ્રતિમા બનશે તેવા સભ્યો વચ્ચે કેવડિયાની કાર્યકારિણીમાં ગુરુવારે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ સરદાર પટેલ અને કોંગ્રેસ પર આપેલા નિવેદન પછી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા લાલઘુમ થઇ ગયા છે.

કહ્યું કે, સરદાર પટેલના નામે રાજનીતિ બંધ કરો. અમિત ચાવડાએ આજે અરવલ્લીમાં ભાજપ પર પ્રહારો કર્યા હતા. ભાજપના કોઈ નેતાએ આઝાદી માટે બલિદાન નથી આપ્યું

ગુરુવારે કેવડિયામાં ભાજપની પ્રદેશ કાર્યકારિણી ને સંબોધતા કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે, આવી કાર્યકારણી બેઠક કોંગ્રેસે કેવડિયામાં યોજવી જોઇએ. તેના બદલે એક પણ કોંગ્રેસી અત્યાર સુધી ફરકયા નથી.

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રૂપાલાના કોંગ્રેસ પર નામ પલટવાર કરતા કહ્યું કે, સરદારના નામે રાજનીતિ ભાજપ બંધ કરે સરદાર પટેલ કોંગ્રેસના પ્રમુખ હતા,

પણ ભાજપ સરદારના અને ખાસ કરીને સ્ટેચ્યુ ના નામે રાજનીતિ જ કરતા આવ્યો છે. સરદાર કોંગ્રેસના છે. તેવા પણ રાજનૈતિક ભાષણો બંધ કરવા જોઈએ. સરદાર વલ્લભભાઈ પટેલ અમારા પ્રમુખ હતા,

તેમના નામે રાજનીતિ ના કરવાની હિમાયત પણ કરી હતી. અમિત ચાવડાએ તો ત્યાં સુધી કહી દીધું કે, ભાજપના વડવાઓ ગોડસેના ચાહકો હતા.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *