રાજકારણમાં નવાજૂની કરવા આવી રહ્યા છે અમિત શાહ ગુજરાત, આ મુદ્દે થશે ચર્ચા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના થોડા દિવસોમાં ગુજરાત આવશે તેવી માહિતી મળી રહી છે 19 ઓક્ટોબર અમદાવાદ આવશે ત્યાંથી તેઓ પોતાના વતન માણસામાં મંદિર ના કાર્યક્રમમાં પણ હાજરી આપવાના છે તમને જણાવી દઈએ કે અમિત શાહ પરિવાર સાથે કાર્યક્રમમાં હાજરી આપશે આબાદ 31 ઓક્ટોબરે પણ અમિત શાહ ગુજરાત આવવાના છે
આ તારીખે સરદાર પટેલ નો જન્મદિવસ હોવાથી તેઓ ગુજરાત પ્રવાસ કરશે. જેમાં કેવડીયા અમિતા આવશે આ દિવસે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં શાહ હાજર રહેશે જણાવી દઈએ કે, થોડા દિવસ અગાઉ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. જેમાં તેમણે પોતાના મતવિસ્તાર ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી.
ત્યારે તેઓએ પણ માણસા ખાતે કુળદેવી માતા ના દર્શન અને પૂજા કરવા જવાના હતા મહત્વનું છે કે, દર વર્ષે નવરાત્રીમાં ગૃહ મંત્રી માણસા મંદિરમાં પૂજા કરવા માટે આવતા હોય છે.
તેમજ પ્રવાસ દરમ્યાન તેઓએ વિવિધ કાર્યક્રમ માં હાજરી આપી હતી. જેમકે ગાંધીનગર રેલ્વે સ્ટેશન પર સ્ટોર નું લોકાર્પણ કર્યું હતું.
તેમજ સ્વામિનારાયણ વિશ્વમગળ ગુરુકુળ દ્વારા નવનિર્મિત ઇન્ટરનેશનલ સ્કૂલ નવીન મકાનનું લોકાર્પણ અને ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!