અમિત શાહે આ દિગ્ગજ નેતાના કર્યા વખાણ, રાજકારણમાં નવાજૂની થશે !

અમિત શાહે માયાવતીના વખાણ કર્યા છે. ત્યારે રાજકારણ ગરમાયું છે. બંને નેતા એક બીજાનાં વખાણ કર્યા છે. જ્યારે રાજકારણમાં નવાજૂની થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. બીએસપી એકલા હાથે વિધાનસભાની ચૂંટણી લડી રહી છે. ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીના ચોથા તબક્કામાં મતદાન માટે બુધવારે સવારે મતદાન કેન્દ્ર પર

પહોંચેલા બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતી એ ભાજપના પૂર્વ અધ્યક્ષ અને ગૃહ મંત્રી અમિત શાહનાં વખાણ કર્યા હતા.

અમિત શાહ તરફથી પણ બીએસપીને મજબૂત ગણાવાના સવાલ પર માયાવતીને કહ્યું કે, આ તેમની મહાનતા છે. તેમણે સચ્ચાઈ સ્વીકારી છે. હાલમાં ઉત્તર પ્રદેશમાં ચોથા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે.

ત્યારે માયાવતી અને ગૃહમંત્રી અમીત શાહ દ્વારા એક બીજાનાં વખાણ કરવામાં આવ્યા છે. આ વખાણથી લાગી રહ્યું છે કે, રાજકારણમાં કંઈક નવાજૂની થવાનું છે.

હવે આગામી સમયમાં જોવું રહ્યું કે, માયાવતી ભાજપનો હાથ પકડે છે કે નહીં. અમિત શાહને પૂછવામાં આવ્યું. ત્યારે તેમણે જણાવ્યું હતું કે, તે તો સમય જ બતાવશે કે ભાજપને ફાયદો થશે કે નહીં.

અમિત શાહે સભા સંબોધતા માયાવતીના વખાણ કર્યા છે. BSP એકલા હાથે વિધાનસભાની ચૂંટણી લડી રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *