નારાજ નીતિન પટેલનું મોટું નિવેદન, મને કોઈ શિખામણ ન આપે, આટલા સુધી…
નવા મંત્રીમંડળના બાદ નીતિન પટેલે મિડીયા સાથે વાતચીત કરી. તેમણે કહ્યું હતું કે, મારા આંખમાં ત્યારે આંસુ આવ્યા હતા. જ્યારે મેં આત્મારામ કાકા માટે જે-તે મંત્રીપદ ગુજરાતી જાતું કર્યુ હતું. હું કોઈને મહેરબાનીથી આટલા સુધી પહોંચ્યો નથી. પ્રજાના આશીર્વાદ છે અને સાથે રહેશે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, સત્ય હકીકત બધા જાણીએ છીએ રાજકારણ હોય વેપાર ધંધા કે ઉદ્યોગ કોઈપણ પ્રવૃત્તિમાં લાખો લોકો છે.
કામ કરતા હોય તેમાં લોકો અનેક પ્રકારના કામો સાથે સંકળાયેલા હોય છે. બધા જ સાચું બોલીને સાચું કામ કરે તો આપણો દેશ સ્વર્ગ થઈ ગયો હોત તો આજે મને કહેતા દુઃખ થાય છે.
કે કેટલાક લોકો જુઠ્ઠા અને બીજાને છેતરનારા છે. બીજાને છેતરે પોતાનું કામ કઢાવી લેનારા અને પોતાના માટે બધું જ અને બાકીનું જે થવાનું હોય તે થાય તેવા પણ છે.
પણ ભગવાનની કૃપાથી પ્રજાના આશીર્વાદથી અને કાર્યકર્તાઓ ના સહયોગથી આ બધા લોકો મને જે નુકસાન કરવા માગતા હતા, અને અમારા પક્ષને નુકસાન કરવા માંગતા હતા.
અમારી સરકારને નુકસાન કરવા માંગતા હતા તે પછી ભલે હું નરેન્દ્ર મોદી વખતે સરકારમાં હો આનંદીબેન પટેલના સમયમાં સરકારમાં હોય કે પછી વિજય રૂપાણી સરકારમાં હુ અમારા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી હોય કે સી આર પાટીલ કે, તેના પહેલા પ્રમુખ હોય બધાની સાથે રહીને સહયોગ કરવાનું કામ મેં કર્યું છે.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે, મને કેશુભાઈ પટેલ નરેન્દ્ર મોદી અને આનંદીબહેન પટેલ અને વિજય રૂપાણી ના નેતૃત્વમાં કામ કરવાની તક મળી છે.
આ કોઈ નાની કાર્ય સિદ્ધિ નથી. કોઈ વ્યક્તિ આટલું ન કરી શકે. ગુજરાતના મહત્વના કહેવાય તેવા વિભાગને સંભાળ્યા છે, એટલે સત્તા તો આવે ને જાય.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!