રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કર્યા પ્રહાર, ટ્વીટ કરીને આ મુદ્દે સંભળાવ્યું કે..
રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા. મોંઘવારીના મુદ્દે તેમને મહત્વનું નિવેદન આપ્યું. ભારતમાં વધતી જતી મોંઘવારી સામાન્ય માણસ માટે એક ચિંતાનો પ્રશ્ન બની ગયો છે.
વધતીજતી મોંઘવારીને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. લોકો મુશ્કેલીમાં આવી ગયા છે. દિવસે ને દિવસે મોંઘવારી નો માર વધી રહ્યો છે, ત્યારે રાહુલ ગાંધીએ ફરી ટ્વિટર પર ટ્વિટ કરીને મોદી સરકાર પર વાર કર્યો હતો. જે ટ્વિટરમાં સરકાર દ્વારા જ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે તે મુદ્દા પર તેમને જોર આપ્યું હતું.
ટ્વિટર પર ટ્વિટ કરીને તેમને કહ્યું હતું કે, બધી વસ્તુઓ મોંઘી થઈ રહી છે સામાન્ય માણસો હેરાન થઇ રહ્યા છે, પરંતુ શું આ વસ્તુનો થોડો પણ ફાયદો નાના ઉત્પાદકો દુકાનદારો અને ખેડૂતોને થઈ રહ્યો છે. સાથે જ રાહુલ ગાંધીએ એવું પણ કહ્યું હતું કે, મોદી સરકાર દ્વારા અંધાધૂંધ છે ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે.
તેના કારણે મોંઘવારી વધી રહી છે ગઇકાલે પણ તેમને મોંઘવારી ખેડૂત આંદોલન અને અનેક મુદ્દાઓને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું સરકાર સંસદ નો સમય વેડફી રહી છે ઉપરાંત તેમણે કહ્યું હતું કે, સંસદમાં કાર્યવાહી સમયે પણ વિપક્ષ અને બોલવામાં રોકવામાં આવે છે.
આ સમગ્ર મામલે તેમણે ટ્વિટર પર ટ્વિટ કર્યું હતું અને ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. વધતી મોંઘવારીને કારણે મોટાભાગના રાજ્યમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. અને કોંગ્રેસનું કહેવું છે કે, મહામારી હજુ સમાપ્ત થયું નથી.
ત્યારે આવા સમયે લોકો સામે મોંઘવારી પણ વધી રહી છે જેના કારણે તેઓના ખિસ્સા ખાલી થઈ રહ્યા છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!