Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
APP / સૌરાષ્ટ્રના આ ત્રણ ગામના સરપંચ સહિત 250 થી વધુ કાર્યકર્તા જોડાયા આપમાં - GUJJUFAN

APP / સૌરાષ્ટ્રના આ ત્રણ ગામના સરપંચ સહિત 250 થી વધુ કાર્યકર્તા જોડાયા આપમાં

આમ આદમી પાર્ટી ગુજરાતમાં દિવસેને દિવસે મજબૂત બની રહી છે આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સામાજિક અગ્રણી રાજકીય પક્ષ ના નેતા અને સામાન્ય લોકો આમ આદમી પાર્ટીમાં દિવસેને દિવસે જોડાઈ રહ્યા છે.

ગુજરાતના લોકો જાણે આમ આદમી પાર્ટીને ત્રીજો વિકલ્પ માન્યો હોય તેવું લાગી રહ્યું છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં અત્યાર થી જ વિધાનસભાની ચૂંટણીઓ તૈયારી શરૂ કરી દીધી હોય તેવું લાગી રહ્યું છે.

સૌરાષ્ટ્રના વિસાવદર અને પાટણના સીમામાં મોટી સંખ્યાના યુવાઓ અને રાજકીય પક્ષો સાથે જોડાયેલ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. વિસાવદર તાલુકામાં આવેલ લાલપુર, દાદર, ભલગામ ના 350 કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીનો કે ખેસ ધારણ કર્યો હતો.

આ ઉપરાંત આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ જ્યારે પાટણના સમી તાલુકાના ગામની મુલાકાતે આવ્યા હતા. તે સમયે પણ લોકોએ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ કાર્યક્રમ દરમ્યાન ઠાકોર સમાજના યુવાનો અને અન્ય સમાજના યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

આ જ સંવેદન યાત્રામાં ઈશુદાન ગઢવી, પ્રવિણ રામ, પ્રશાંત ચૌધરી અને અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *