Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
મહેસાણા પહોંચતા નીતિન પટેલે પોતાના મનની વાત કરતા આપ્યું મોટું નિવેદન.. - GUJJUFAN

મહેસાણા પહોંચતા નીતિન પટેલે પોતાના મનની વાત કરતા આપ્યું મોટું નિવેદન..

પ્રધાનમંત્રી મોદી ના જન્મ દિવસના કાર્યક્રમમાં મહેસાણા ખાતે ગેરહાજર રહેલ નીતિન પટેલ આજે મહેસાણા ની મુલાકાત લઈ રહ્યા છે. મોટી સંખ્યામાં લોકોનો આવકાર મળ્યો હતો. અને નારાજગીના વાત વચ્ચે મહેસાણા ખાતે આજે નીતિન પટેલ નો ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

મહેસાણા કાર્યક્રમને સંબોધતા દરમિયાન નીતિન પટેલે કહ્યું કે, અમુક લોકો એવા હોય છે જે નકામા હોય છે. પરંતુ મારે તેની સામે જોવાનું નથી.

મારે બાકીના કાર્યકર્તાઓનો હિતનું જોવાનું છે. અને તેના માટે કામ કરવાનું છે તેમણે વધુમાં ઉમેર્યું કે ઘણા લોકો ખુશ થતા હશે કે, નીતિનભાઈ ગયા વિજય રૂપાણી ગયા.

પરંતુ મારે કહેવું છે કે, હું એક નથી ગયું આખું મંત્રીમંડળ ગયું છે. એ મહત્વનું છે કે, મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ નીતિન પટેલે કહ્યું હતું કે, ગુજરાત છોડીને ક્યાંય પણ નથી જવાના.

2022 વિધાનસભાની ચૂંટણીમાં મહેસાણા થી લડવાની વાત કરી હતી. કાર્યક્રમ દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે, હું મહેસાણા માં શક્તિ પ્રદૂષણ કરવા નથી આવ્યો.

મહત્વનું છે કે, મંત્રી મંડળમાંથી રાજીનામું આપ્યા બાદ તેઓ ખુલ્લી ને તો કંઈ નથી બોલી રહ્યા, પણ સમય મળે તે રીતે વિરોધીઓ પર પ્રહાર કરતા જોવા મળી રહ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *