પાટીદાર CM બનતા જ સરદારધામ ના પ્રમુખ એ આપ્યું મોટું નિવેદન, જાણો.
ભાજપના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ આજે પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એ તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત ભાજપના તમામ નેતાઓએ સમારંભમાં હાજર રહ્યા હતા.
ત્યારે મધ્યપ્રદેશ, ગોવા, હરિયાણાના મુખ્યમંત્રી પણ હાજર રહ્યા હતા. તેની સાથે પાટીદાર સીએમ બનતા જ પાટીદાર આગેવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. સરદારધામ પ્રમુખ ભાજપ ના નિર્ણયને આવકાર્યો છે.
જાહેરજીવન સેવાનું માધ્યમ છે. સરદારધામ અમદાવાદના પ્રમુખ કહ્યું કે ભુપેન્દ્રભાઈ અમારી સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી છે, અને ખૂબ સારા કાર્યકર છે.
તેઓ ખૂબ સારી રીતે 6.5 કરોડ ગુજરાતીઓનું કામ કરશે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદના પ્રમુખ આર પી પટેલે કહ્યું કે, ભુપેન્દ્રભાઈ અમારી સંસ્થા પાયાના કાર્યકર છે.
અને ટ્રસ્ટી તથા દાતા પણ છે એ માત્ર પાટીદાર ના નહીં પરંતુ સર્વ સમાજના મુખ્યમંત્રી છે. છેવાડાના લોકો સુધી રોટી કપડા અને મકાન પહોંચી રહે તે દિશામાં કામ કરવું જોઈએ.
તેમ કહી ભુપેન્દ્ર પટેલ પણ સમાજને લઈને આગળ વધે તમામ સમાજને લઈને આગળ વધે તેવી શુભકામનાઓ પાઠવી છે.
ખોડલધામ ટ્રસ્ટ કાગવડ ના ટ્રસ્ટી રમેશભાઈ કહ્યું કે, પાટીદાર સીએમ બન્યા છે અને તેઓ સર્વ સમાજનું કામ કરશે, પ્રજાહિતના કામો કરશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!