ચૂંટણી નજીક આવતા ભાજપ અને કોંગ્રેસના નેતાઓ મેદાને, નરેશ પટેલના અધ્યક્ષ સ્થાને કરી મહત્વની બેઠક..
ખોડલધામના ચેરમેન નરેશ પટેલની જગ્યા મહત્વની બેઠક મળી હતી. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે સૌરાષ્ટ્રના પાટીદાર અગ્રણીઓ દ્વારા સામાજિક અને રાજકીય પ્રદૂષણ કરવામાં આવશે. રાજકોટમાં ગોંડલ ખાતે આજે યુદ્ધ એ જ કલ્યાણ ગ્રુપ દ્વારા સન્માન સમારો આયોજન કરવામાં આવ્યું છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલની અધ્યક્ષ સ્થાને આ સમારોહ યોજાશે. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુંમર પણ હાજર રહેશે.
ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલ પણ આ બેઠકમાં જોડાય તેવી માહિતી મળી રહી છે. આ સિવાય પાસ નેતા અલ્પેશ કથીરિયા સહિતના ક્ષત્રિય સમાજના અગ્રણીઓ પણ હાજરી આપી શકે છે. વિધાનસભાની ચૂંટણી ગુજરાતના તમામ રાજકીય પક્ષો સક્રિય થયા છે.
પક્ષ પોત પોતાની રીતે તડામાર તૈયારી શરૂ કરી દીધી છે. એવામાં કોંગ્રેસ ચૂંટણી હવે વધારે તેજ બની છે. ત્યારે ગઈકાલે ખોડલધામ ખાતે પાટીદારો સાથે કોંગ્રેસની પણ બેઠક યોજાઇ હતી. ચૂંટણી નજીક આવતા કોંગ્રેસના પાટીદાર અગ્રણી મેદાનને ઉતર્યા છે.
ત્યારે ગઈકાલે ખોડલધામ ખાતે નરેશ પટેલ છે. એ પાટીદાર આગેવાનો સાથે કોંગ્રેસના પાટીદાર સમાજના આગેવાનો બેઠક માં જોડાયા હતા. જેમાં કોંગ્રેસનેતા મનહર પટેલ સહિતના પાટીદાર સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.
બેઠક પૂર્ણ થયા બાદ કોંગ્રેસ નેતા મનહર પટેલે જણાવ્યું હતું કે, ખોડલધામ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આગેવાનોએ ખોડલધામ સંસ્થાના સ્થાપક અને પટેલ સમાજના મોભી નરેશ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત લીધી
ગુજરાતમાં આવનારા દિવસોમાં એક પરિવર્તનનો માહોલ બને અને સરકારની અંદર અમારો હિસ્સો બને અને ગુજરાતની સેવા કરવાનો મોકો મળે તેવા ભાવના સાથે અમે નરેશ પટેલની મુલાકાત લીધી, તેવું મનહર પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!