ચૂંટણી નજીક આવતાં જ પાટીદાર સમાજ ફરી એક વાર આવ્યો ચર્ચામાં, આ નેતાના નિવેદનથી રાજકારણમાં હલચલ
દેવવ્રત એ જણાવ્યું હતું કે, રાસાયણિક ખેતી ના કારણે જળ-જમીન અને પર્યાવરણને પ્રદૂષિત થાય છે. જમીનની ફળદ્રુપતા , કૃષિ ઉત્પાદન સતત ઘટી રહ્યું છે. તેમજ લોકો સાથે બીમારીનો ભોગ બની રહ્યા છે. ત્યારે રાસાયણિક કૃષિ ના આ દુષ્પરિણામ નીરવ આપણે પ્રકૃતિ તરફ પાછા વળવું પડશે. ઠાસરા તાલુકાના હરિપુરા
ગામે કચ્છ કડવા પટેલ સમાજ દ્વારા આયોજિત પ્રાકૃતીક કૃષિ શિબિર અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એ જણાવ્યું હતું
ધાર્મિક સંસ્થાનો માનવ સમાજની સેવામાં પ્રવૃત લોકોનું પ્રદર્શન કરી માર્ગદર્શન આપે છે. તેમણે કચ્છ કડવા પાટીદાર સમાજની ધાર્મિક સામાજિક અને વ્યવસાયિક પ્રવૃત્તિ કારણકે બિરદાવી હતી.
સમગ્ર વિશ્વમાં પાટીદાર સમાજ પથરાયેલો છે. અને તેઓએ ગુજરાતની સાથે સાથે દેશનું નામ રોશન કર્યું છે વિશ્વના દેશ ના ભારતના એક આધ્યાત્મિક રાષ્ટ્ર છે, અને તેની પ્રતિતિ કરાવી છે.
પ્રાકૃતિક ખેતી પર ભાર મૂકતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી એ માત્ર ખેતી નહીં પણ જીવન દર્શન છે.
પ્રાકૃતિક ખેતી થી જળ જમીન અને પર્યાવરણની રક્ષા થાય છે. આજે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગના પડકારનો સામનો કરી રહ્યો છે, તેનું કારણ પાણી અને વાતાવરણનું પ્રદૂષણ છે.
આ પ્રસંગે રાજ્યપાલ ના વરદ હસ્તે મંદિરના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરાયું હતું.આ પ્રસંગે અમૂલ ડેરીના ચેરમેન, રામ સિંહ પરમાર, પ્રાકૃતિક ખેતી સમિતિ ગુજરાત પ્રદેશના સંયોજક સહિતના અનેક લોકો હાજર રહ્યા હતા.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!