આપ / નવા મંત્રીઓને ચૂંટણીનાં કામે લગાડી દેતા ઈશુદાન ગઢવી એ કહ્યું એવું કે, રાજકારણ ગરમાયું..

3 ઓક્ટોબરના રોજ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે ગાંધીનગરમાં અલગ અલગ રાજકીય પક્ષો દ્વારા પ્રચારમાં વેગ આપવામાં આવે છે. તો ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીના વધતા જતા પ્રચાર અને લોકપ્રિયતા વચ્ચે ભાજપ દ્વારા નવા મંત્રીઓની ફોજને મેદાને ઉતારવામાં આવી છે. ત્યારે આ બાબતે આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી દ્વારા ભાજપ પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે.

ઈશુદાન ગઢવી એ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, મને એ નથી સમજાતું કે, ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ માત્ર ગાંધીનગરના મંત્રી ઓ છે ?

ભારતીય જનતા પાર્ટીએ એક થી 11 વોર્ડમાં એક અને ક્યાંક તો બે મંત્રીઓને જવાબદારી સોંપી છે.

ત્યારે મને સવાલ એ થાય છે કે, આટલું બધું કરવાની શું જરૂર છે. ડર તો બીજા નંબરની વાત છે, પણ મંત્રીઓના પ્રચાર સમયે આખું ગુજરાત રેઢું રહેશે, આ મંત્રીઓમાં ગુજરાત ના હોય તો માત્ર ગાંધીનગરના જ હોય છે.

મને એ નથી સમજાતું ગાંધીનગરના વિકાસની વાત કરવામાં આવે. ત્યારે મંત્રી ની ફોજ ઊતરતી નથી રોડ રસ્તા ખરાબ છે, લોકો પરેશાન છે ચૂંટણી આવે એટલે ભાજપના મંત્રીઓ ની ફોજ ઉતરી જાય છે.

ભાજપના લોકો ની મોજ આવી જાય છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, લોકોની ચિંતા કરવાને બદલે ગાંધીનગર કોર્પોરેશન જીતવા માટે આખી સરકાર આખું મંત્રીમંડળ લાગ્યું છે.

તેનાથી બે વાત સ્પષ્ટ થાય છે કે જેમાં પેલું ભાજપને તેની હાર દેખાઈ રહી છે. અને બીજું પોતાની રાજકીય એજન્ડા કેમ સફળ બનાવવા તે દેખાઈ રહ્યું છે. ત્યારે ગુજરાતની જનતા સારી રીતે જાણે છે કે, આ લોકો ફક્ત અને ફક્ત પોતાના સ્વાર્થ માટે શાસન કરે છે નહીં કે જનતાની સુખાકારી માટે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *