જન આશીર્વાદ લેવા નીકળેલા જીતુ વાઘાણી ને સવાલ પૂછતા, તેની બોલતી થઈ બંધ અને ચાલતી પકડી
આજે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી જો ના આશીર્વાદ યાત્રા રાજકોટના પશ્ચિમ વિસ્તારમાં નીકળી હતી. આજે સવારે માધાપર ચોકડી થી જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ થયો હતો. રાજકોટના અલગ-અલગ વિસ્તારમાં આશીર્વાદ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પૂર્વ સીએમ વિજય રૂપાણી ના વિધાનસભા વિસ્તારમાં આ યાત્રા કરી હતી.
આ સમયે શિક્ષણ મંત્રી એ જણાવ્યું હતું કે જનતાના આશીર્વાદ અમને મહત્વ રહેશે. 2022માં પણ અમને આશીર્વાદ મળશે. યાત્રામાં સાંસદ મોહન કુંડારિયા, રામાભાઇ મોકરીયા ઉપસ્થિત રહ્યા હતા.
પેટ્રોલના ભાવ વધારા વિશે પત્રકારોએ જીતુભાઈ વાઘાણી ને પૂછતા વાઘાણી ચાલતી પકડી હતી. ઉલ્લેખનીય છે કે, જીતુભાઈ વાઘાણી રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી પણ છે.
રાજકોટ શહેર અને જિલ્લાના પ્રશ્નો માટે ખાસ કરીને અધિકારીઓની નિમણૂક કરાશે. અધિકારી માત્ર રાજકોટ ના પ્રશ્નો અને સમસ્યાઓ અંગે દેખરેખ રાખશે.
રાજકોટ ખાતે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી આ મુદ્દે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ વિભાગના અગ્રણીઓ સચિવ અને આરોગ્ય વિભાગ તથા મનોચિકિત્સક સાથે રાખીને કમિટીની રચના થશે.
કમિટીના રિપોર્ટ બાદ શાળાઓ શરૂ કરવાના નિર્ણય લેવામાં આવશે. ફીના મુદ્દે શિક્ષણ મંત્રી અજાણ હોવાના દ્રશ્યો ઉભા થયા હતા.
વાધાણીએ કહ્યું તમે અજાણ, જાહેરમાં થઈ ગયું બાદમાં કહ્યું વિભાગ સાથે ચર્ચા કરીને કહીશું. રાજ્યના શિક્ષણ મંત્રી ફીના માળખા વિશે અજાણ છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!