બાપુની કોંગ્રેસ રિ-એન્ટ્રી ! શંકરસિંહ વાઘેલા સમાધાન કરવાના મૂડમાં પણ…
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ કોંગ્રેસ હાલ ઠંડા કલેજે વર્કઆઉટ કરી રહી છે. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી દ્વારા પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કોંગ્રેસ પ્રમુખ તથા પૂર્વ વિધાનસભાના વિપક્ષ નેતા શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ મારી એન્ટ્રી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પણ બાપુ દ્વારા કેટલીક શરતો મૂકવામાં આવી છે એન્ટ્રી મામલો ધોચમાં પડ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે.
કોંગ્રેસના સૂત્રોએ આપેલી માહિતી મુજબ ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસના બાપુને કોંગ્રેસ મારી એન્ટ્રી માટે રજૂઆત કરી હતી અને બાપુને પણ પોતે કોંગ્રેસ પાછા ફરી શકે છે.
એવો સંકેત આપ્યો હતો પણ કોંગ્રેસ પરત ફરવા સાથે બાપુનો સંગઠન તથા વિધાનસભાની ચૂંટણીની ટિકિટ લઈ અનેક બાબતોની કેટલીક શરતો મૂકી છે. તેથી કોંગ્રેસ મૂંઝવણમાં છે.
પરંતુ કોંગ્રેસ હાઈ કમાન્ડ એ બાપુને તમામ શરતો માનવા તૈયાર નથી અને બીજી બાજુ બાપુ પોતાના વલણ પર મક્કમ હોવાનું મનાઈ રહ્યું છે. ત્યારે કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકી બાપુ અને હાઈ કમાન્ડ ને રાજી કરવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે.
હવે જોવાનું એ રહ્યું કે ભરતસિંહ સોલંકી ના પ્રયાસઅને બાપુ ની શરતો વચ્ચે હાઈ કમાન્ડ કોની તરફી ફેસલો કરે છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!