ચૂંટણી પહેલા લલિત વસોયા આવ્યા મેદાનમાં, કૃષિ કાયદાને લઈને આપ્યું મોટું ચોકાવનારું નિવેદન…

લલિત વસોયા એ જણાવ્યું હતું ખેડૂતના આંદોલન સામે ઘૂંટણિયે પડી કેન્દ્ર સરકારે કાળા કાયદા ખેંચવા પડ્યા હતા જણાવ્યું હતું. શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું હતું કે સંઘર્ષ અને સત્યની હંમેશા જીત થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ સંબોધનની શરૂઆતમાં દેશવાસીઓને દેવ દિવાળી અને ગુરુનાનક જયંતીની શુભેચ્છા પાઠવી હતી.

વડાપ્રધાન મોદીએ સંબોધનમાં જણાવ્યું હતું કે, મેં ખેડૂતોના પડકારને ઝીણવટપૂર્વક જોયા છે. નાના ખેડૂતોના પડકારોને દૂર કરવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

મોદી એ ત્રણે કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાત કરી છે. આ સાથે PM તમામ દેશવાસીઓ ની માફી માંગી છે. વડાપ્રધાનની આ જાહેરાત બાદ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ટ્વીટ કરી જણાવ્યું હતું

કે, આજે ખેડૂતો અને તેમના આંદોલનનો વિજય થયો જે ભાજપની તાનાશાહી અને આંદોલનમાં શહીદ થયેલા ખેડૂતો ને આવી જાય શ્રદ્ધાંજલિ રૂપે છે. ભાજપના નેતાઓ અત્યાર સુધીમાં કૃષિ કાયદાઓના ફાયદા જણાવતા હતા

હવે તેઓ આ કાયદાઓને પરત લેવાના ફાયદાઓ ગણાવશે. બીજી તરફ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ ટ્વિટ કરીને કહ્યું હતું કે, સંઘર્ષ અને સત્યની હંમેશા જીત થાય છે.

કેટલાક ખેડૂતોની માંગ હતી જેને ધ્યાનમાં રાખ્યા 3 કાયદા પરત ખેંચવાની જાહેરાત કરી આ સાથે કૃષિને લગતી બાબતો માટે કમિટી બનાવવાની જાહેરાત કરી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *