ભરત સોલંકીનું OBC કાર્ડ અંગે મોટું નિવેદન, ત્યારબાદ રાજકારણમાં હલચલ..

ગુજરાતના રાજકારણમાં અત્યારથી જ 2022 ના સપના જોવા રહ્યા છે. ભાજપ ફરી સત્તામાં આવશે તેવી વાત કરે છે. આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરતા જ 120 સીટો લાવશે તેવી વાતો કરે છે. તેવામાં કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી પિતાના રસ્તે ખામ થિયરી ની કોંગ્રેસને સત્તા આપવા માંગે છે.

ભરત સોલંકીના એક જ નિવેદનથી હાલ ગુજરાતના રાજકારણમાં હલચલ થયું છે. હાલમાં ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણી નું જાણે ટ્રેલર સામે આવ્યું હોય તેમ લાગે છે. એક બાદ એક નેતાઓ સક્રિય થઇ રહ્યા છે.

આવનારા સમયમાં આ નેતા કોઈ રાજકીય ભૂકંપ ન સર્જે તો નવાઈ નહીં. કારણ કે 2017 ગાજવનારની ચૂંટણીમાં બચાવનાર ત્રણ નેતા હાર્દિક પટેલ અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણી ની ત્રિપુટી હવે અલગ અલગ પાર્ટીમાં વેચાઈ ગઈ છે.

અને આવા સમયમાં હવે કોંગ્રેસ દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી ઓબીસી કાર્ડ ની શરૂઆત કરી છે. એક બાદ એક નેતાઓ અને રાજકીય આગેવાનો પોતાના નિવેદન આપી રહ્યા છે.

થોડા સમય પહેલા પાટીદાર સુપ્રીમો નરેશ પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી તો પાટીદારો જ હોવો જોઈએ. ત્યાર બાદ રાજકારણમાં હલચલ થઇ હતી. પણ હવે પાટણમાં કોંગ્રેસના ભરતસિંહ સોલંકીને મોટું નિવેદન આપ્યું છે.

સોલંકીએ કહ્યું હતું કે, છેલ્લા 25 વર્ષથી થતું શોષણ હવે બહુ થયું હવે સમય પરિવર્તન કરવું જોઈએ. સૌથી મોટી વોટબેંક પછાત વર્ગોની છે, હવે મુખ્યમંત્રી અમારો હોવો જોઈએ.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *