ભૂપેન્દ્ર પટેલે ઉમિયાધામ અને ખોડલધામ ને લઈને આપ્યું મોટું નિવેદન, કહ્યું કે શક્તિશાળી..
ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સૌરાષ્ટ્રમાં ઉમિયાધામ સીદસર પહોંચ્યા છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં સૌરાષ્ટ્રના પ્રવાસે નીકળેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમાજના કાર્યક્રમમાં હાજરી મહત્વની ગણી શકાય છે. સિદસર મા ઉમિયા મંદિર ના દશાબ્દી મહોત્સવ કાર્યક્રમમાં હાજરી આપી હતી. જ્યાં તેમને ઉમિયા માતાના દર્શન કર્યા હતા.
સિદસરમાં 9 થી 13 ફેબ્રુઆરી સુધી રજત જયંતી મહોત્સવની ઉજવણી થઇ રહી છે. આજે રજત જયંતિ દશાબ્દી મહોત્સવ મુખ્યમંત્રીની હાજરી આપવા પહોંચ્યા હતા.
શિક્ષણમાં સીએમ હીમોગ્લોબિનની ગોળીઓથી તુલા કરાઇ હતી. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ 1.50 લાખની હિમોગ્લોબીન ગોળીથી તુલા કરાઈ હતી. તેના બાદ બધી હિમોગ્લોબીન ગોળીઓ મહિલાઓમાં વિતરણ કરાશે.
આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, સિદસર ઉમિયા ગામના વિકાસ માટે રાજ્ય સરકારે ત્રણ કરોડની ફાળવણી કરી છે. વધુ રૂપિયાની સિદ્ધાંતિક મંજૂરી પણ આપી દીધી હોવાથી મુખ્યમંત્રીએ કાર્યક્રમમાં કહ્યું હતું.
કે ખેડૂત અને ખેતી સાથે સંકળાયેલો આ સમાજ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પ્રાકૃતિક ખેતી ની વાત કરી છે. દવાથી જો કોઈને તોલવામાં આવ્યા હોય તો હું પહેલો માણસ છું.
રોગ વધવા પાછળનું કોઈ કારણ હોય તો રાસાયણિક ખાતર ની ખેતી છે. પ્રાકૃતિક ખેતી થી ઉત્પન્ન થતા અનાજની ખરીદી કરવા વાળો વર્ગ પણ ઉભો થઈ રહ્યો છે.
આપણો સમાજ શક્તિશાળી છે, અને સરકાર સાથે જોડાઈને વધુ શક્તિશાળી બનાવશું. પછી ઉમિયાધામ હોય કે પછી ખોડલધામ હોય સાથે મળીને કામ કરીશું અને શક્તિશાળી બનાવીશું.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!