વરસાદને કારણે શાકભાજીની આવકમાં મોટો ઘટાડો, ભાવમાં એક સાથે 50 થી 60% નો મોટો ઉછાળો
ખેતરોમાં પાણી ભરાઈ જવાથી શાકભાજીનો ઉતારો ઓછો થતા આવકમાં ઘટાડો થયો છે. અને ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે કેટલીક શાકભાજીના ભાવ તો બમણા થઈ ગયા છે. ભારે વરસાદને કારણે ખેતરમાં શાકભાજીના પાકને ઘણું નુકસાન થયું છે. કેટલાક શાકભાજીના ભાવ તો 80 થી 100 રૂપિયાને પાર પહોંચી ગયા છે. છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલને કારણે અનેક વિસ્તારોમાં શાકભાજીના વાવેતરના ખૂબ મોટું નુકસાન થયું છે.
ખેતરમાં પાણી ભરાઈ જવાથી શાકભાજીના પાકને નુકસાન થવાને કારણે આવકોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. પરિણામે શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. હાલ બજારમાં શાકભાજીના ભાવ 50 થી 60% નો વધારો થતા લોકોનું બજેટ ખોરવાયું છે.
ભારે વરસાદને કારણે શાકભાજીના પાક ઉપર ઘણી નુકસાન થયું છે. અરવલ્લીના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી શાકભાજીના પાકને નુકસાન થયું છે.
હાલ બજારમાં શાકભાજીના ભાવમાં 50 થી 60% નો વધારો જોવા મળ્યો છે. અગાઉ જે શાકભાજી 30 થી 40 રૂપિયાના કિલો મળતા હતા તે હાલ 60 થી 80 રૂપિયાના કિલો જોવા મળી રહ્યા છે. અમદાવાદ અને વડોદરામાં શાકભાજીના ભાવમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે.
દિવસેને દિવસે વધતી જતી મોંઘવારીને કારણે સામાન્ય લોકોના આર્થિક રીતે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે કેટલાક શાકભાજીના ભાવ તો હાલ 80 થી 100 રૂપિયાને પાર પહોંચી ગયા છે.
દિવસે ને દિવસે વધતી જતી મોંઘવારીને કારણે સામાન્ય જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દૂધી, ભીંડા, ટમેટા સહિત તમામ શાકભાજીના ભાવ બમણા થઈ ગયા છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!