પાટીદાર સમાજની ટોચની ત્રણ સંસ્થાઓની મોટી બેઠક, આ બેઠક પરથી ટિકિટ..
ગુજરાતમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ સામાજિક આગેવાનો સક્રિય થઈ રહ્યા છે. સરકાર સમક્ષ પ્રેશર પોલિટિક્સની રમત રમાઈ રહી છે, આ તરફ ગુજરાતમાં 14% વોટ બેંક ધરાવતા પાટીદાર સમાજની સંસ્થાઓ બેઠક કરી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદાર સંસ્થાઓની મિટિંગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદના ઉમિયા કેમ્પસ સોલા ખાતે ત્રણ દિગ્ગજ સંસ્થાઓની બેઠક યોજાશે.
જેમાં ઉમિયાધામ ઊંઝા ખોડલધામ કાગવડ અને ઉમિયાધામ સિદ્ધસર સંસ્થાના પ્રમુખ અને મંત્રી સહિતના ટ્રસ્ટીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. વિધાનસભાની ચૂંટણી પહેલા યોજાઇ રહેલી બેઠકમાં ઉમિયાધામ ઉંજાના પ્રમુખ બાબુ જમના પટેલ ઉપસ્થિત રહેશે.
સૌરાષ્ટ્રથી ઉમિયાધામના જયરામ પટેલ અને ખોડલધામ નરેશ પટેલ પણ હાજરી આપશે. આ ઉપરાંત ઊંઝા ના ઉપપ્રમુખ રમેશ દૂધવાળા અને સી કે પટેલ સહિતના આગેવાનો હાજરી આપશે, જેમાં પાટીદાર નેતાઓને ટિકિટને લઈને ચર્ચા કરવામાં આવશે.
આ પહેલા પણ મિટિંગ યોજાય હતી થોડા સમય અગાઉ અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે પાટીદારોની મુખ્ય સંસ્થાઓના પ્રમુખ ની બેઠક યોજાઇ હતી. પ્રમુખ મંત્રીઓને ટ્રસ્ટીઓ નિબંધ યોજાયેલી બેઠકમાં પાટીદાર સમાજના રીતરિવાજ હાલના પ્રશ્ન તેમજ અનામત કેસના પરત ખેંચવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદાર સંસ્થાઓની મીટીંગ બોલાવવામાં આવી છે. અમદાવાદના ઉમિયા કેમ્પસ સોલા ખાતે ત્રણ સંસ્થાઓની બેઠક યોજાશે જેમાં અનેક લોકો હાજર રહેશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!