ખેડૂત આંદોલનને લઇને મોટા સમાચાર / સુપ્રીમ કોર્ટના આદેશથી, કેન્દ્ર સરકારને કરવું પડશે આ કામ..
ત્રણ કૃષિ કાયદાની સામે છેલ્લા દસ મહિના કરતાં પણ વધારે સમયથી ચાલી રહેલા ખેડૂત આંદોલનને કારણે દિલ્હી તરફ જતાં રસ્તાઓ બ્લોક થયા છે. તેને પરિણામે લોકોને અવરજવરમાં મુશ્કેલી પડે છે. શરૂઆતમાં આ સમસ્યાનો ઉકેલ આવી જશે તેવું લાગતું હતું, પરંતુ હાલમાં આ મામલો લાંબા સમયથી ખેંચાઇ રહ્યો હોવાને કારણે લોકો રોષે ભરાયા છે. અને રસ્તાઓ ખુલ્લા કરવા માટે સુપ્રીમ કોર્ટ ગયા હતા.
નોઈડાના રહીશે આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ રહીશે અરજી કરીને સુપ્રીમ કોર્ટ પાસે એવી માંગ કરી હતી કે, નોઈડા થી દિલ્હી સુધી નો રસ્તો ખુલ્લો કરવામાં આવે.
આ અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે.રાકેશ ટિકેત કહ્યું કે, 5 સપ્ટેમ્બર મુજફ્ફરનગર માં મોટી પંચાયત કરીને આંદોલનની શરૂઆત કરીશું.
સંયુક્ત મોરચા એ 8 મહિના આંદોલન કર્યા બાદ નિર્ણય લીધો છે કે, યુપી ની સાથે આખા દેશમાં આંદોલન વિસ્તારવામાં આવે તેમણે વધુમાં જણાવ્યું છે કે, જ્યાં સુધી આ કાયદા પાછા ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી ખેડૂતો આંદોલન બંધ નહીં કરે.
લખનઉ ને પણ દિલ્હી બનાવી દઈશું. લખનઉ ની ચારે બાજુ પણ દિલ્હી જેવા હાલ થશે, તેવી ચીમકી ઉચ્ચારી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!