વિધાનસભાની ચૂંટણી પહેલા મોટા સમાચાર, ભાજપમાંથી સસ્પેન્ડ થયેલા બે દિગ્ગજ નેતાની થશે ઘર વાપસી..
વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ એક્શન મોડમાં આવી ગઈ છે. સસ્પેન્ડ થયેલા નેતાઓ અને ફરીથી ભાજપમાં જોડવાની તૈયારીઓ ચાલી રહી છે. કમા રાઠોડ અને ભીખા પટેલની ઘરવાપસી કરવામાં આવશે તેવું સૂત્ર અનુસાર જાણવા મળી રહ્યું છે. 2022 ની ચૂંટણીમાં ભાજપ 150 બેઠકો જીતવાની મથામણ કરી રહ્યું છે.
ઉજવણી માટે ટિકિટ ન મળતા નારાજગી દર્શાવી ભાજપ છોડી ગયેલા નેતાઓને ચૂંટણી પહેલા ભાજપમાં ઘરવાપસી કરાવવાનું ચાલી રહ્યું છે. તેમાં પણ ખાસ કરીને અમદાવાદ ગ્રામ્યની વિરમગામ મંડળ બેઠક એ જે બે ટર્મ કોંગ્રેસ પાસે છે.
તેને કબજે કરવા માટે ભાજપ અત્યારથી પ્રી પ્લાન મુજબ ચાલી રહ્યું છે. માંડલ વિરમગામ વિસ્તારના પટેલ સમાજ પર પ્રભુત્વ ધરાવતા પૂર્વ ધારાસભ્ય પ્રાગજી પટેલને ઘરવાપસી બાદ તે જ બેઠકમાં ક્ષત્રિય ચહેરો અને સમાજના આગેવાન અને પૂર્વ ધારાસભ્ય કમા રાઠોડ આજે બુધવારે કેસરીયો ધારણ કરશે.
તેવું સુત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે. તમારા રાઠોડની અપક્ષમાંથી 49000 મત મળ્યા હતા. સભ્યો કમા રાઠોડની ભાજપમાં પુન પ્રવેશ ને લઈને હાલ જોરશોરથી અભિયાન ચાલી રહ્યું છે.
સોશિયલ મીડિયા સહિત કમા રાઠોડ ના સ્વાગત પોસ્ટર પણ ઠેરઠેર લાગી રહ્યા છે. પોસ્ટમાં લખ્યું છે કે હું આવું છું, ભાજપમાં તમે પણ જોડાવો. મહત્વનું છે કે 2017 ની ચૂંટણીમાં સાણંદ બેઠક પરથી કમા રાઠોડે ટિકિટની માગણી કરી હતી.
પણ ટિકિટ ન મળતા તે નારાજ થઈ પક્ષ ચૂંટણી લડ્યા હતા અને હારી ગયા હતા. જે બાદ પાર્ટીના આદેશ વિરુદ્ધ કામ કરવા માટે તેમણે છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાયા હતા.
અપક્ષમાંથી કમાભાઇની 49000 મત મળ્યા હતા. સી.આર.પાટીલ ના હસ્તે તેઓ કેસરીયો ખેસ ધારણ કરશે તેવું સુત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!