મોટા સમાચાર / વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે લીધો મોટો નિર્ણય, ચૂંટણીમાં એકપણ..
ઉત્તર પ્રદેશ સહિત દેશના વિવિધ રાજ્યોમાં મહામારી ના વાયરસ ના કેસ ઝડપથી વધી રહેલા સંક્રમણને જોતા યુપી કોંગ્રેસે મોટો નિર્ણય લીધો છે. પાર્ટી નેતૃત્વ નિર્ણય લીધો કે, હાલમાં યુપીમાં કોઈ પણ મોટી રેલીનું આયોજન કરવામાં આવશે નહીં. કોંગ્રેસ યુપી ચૂંટણીમાં વચૂઅલ રેલીનું આગ્રહ રાખશે. પાર્ટી રાજ્યમાં યોજનાર તમામ રેલી ઓ રદ કરી દીધી છે.
અન્ય સમાચાર /
આરોગ્યમંત્રી ઋષિકેષ પટેલે મોટું નિવેદન આપ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આજથી સમગ્ર રાજ્યમાં 15 થી 10 વર્ષના ટીનેજર્સ માટે મહામારી ના રસીકરણના મેઘા ડ્રાઇવ નો પ્રારંભ થયો છે.
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ એશિયાની સૌથી મોટી ગણાતી સિવિલ મેડીસીટી કેમ્પસની સિવિલ હોસ્પિટલમાં કોરોના રસીકરણ કેન્દ્ર માં ઉપસ્થિત રહીને ટીનેજર્સ માટે રસીકરણ નો પ્રારંભ કરાવ્યો હતો.
ત્યારે તેમને ગુજરાતમાં લોકડાઉન અંગે મહત્વનું નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં લોકડાઉન અંગે કોઇ વિચારણા કરવામાં આવી નથી.
ગુજરાતમાં લોકડાઉન ને લઈને આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલ લોક ડાઉન અંગે કોઇ વિચારણા નથી. ગુજરાત સંપૂર્ણ ખુલ્લું છે અને સંપૂર્ણ ખુલ્લું રહે તે ઇચ્છનીય છે.
સાથે તેમણે કહ્યું કે સામાન્ય જનતાને આર્થિક સ્થિતિને જોતા હવે લોકડાઉન પોસાય તેમ નથી. 70 ટકાથી વધુ નાગરિકો ની રસી નો પ્રથમ ડોઝ અપાય ચુક્યો છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!