મોટા સમાચાર / રાજકારણમાં ભૂકંપ, વિવાદ અંગે નીતિન પટેલે નારણ કાછડિયા ને આપ્યો સણસણતો જવાબ, કહ્યું કે…
નીતિન પટેલે એકો એક આરોપ પર જવાબ આપતા કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલમાં જ ગુજરાતમાં સરકાર ઉથલાવી નાખવામાં આવી છે. મુખ્યમંત્રી સાથે કેબિનેટે રાજીનામું આપ્યું અને નવા મંત્રી નું કામકાજ શરૂ પણ થઇ ગયું છે કહ્યું કે, ખાલી મારી બદલી થઈ નથી. જોકે હાલમાં જ ભારતીય જનતા પાર્ટીના બે દિગ્ગજ નેતા નીતિન પટેલ અને નારણ કાછડિયા વિવાદ સામે આવ્યો હતો.
નારણ કાછડિયા છેલ્લા બે દિવસથી નીતિન પટેલ સામે આક્ષેપ કરતા રહ્યા છે. અને આ સિવાય પણ સંસદ નારાયણ જુદા જુદા મીડિયા ચેનલ માં નીતિન પટેલ પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા.
ત્યારે આજે નીતિન પટેલ દ્વારા તે આક્ષેપનો જવાબ આપવામાં આવ્યો છે. રોજ 500-700 લોકો ઓફિસમાં આવતા હતા. નીતિન પટેલે આજે સુધી કાછડીયા નું નામ લઇ ને નિશાન ન હતું જોકે તેમણે ને કહ્યું કે, મહેસાણામાં બે દિવસ પહેલા પહેલી વાત બાદમાં ઉલ્લેખ તેમણે કેમ કર્યો.
તો મને સમજાયું નહીં. તેમણે કહ્યું કે મારી ઓફિસ અનેક લોકો કામ માટે આવતા હતા. તેમાં સંસદ પણ હોઈ શકે અમારી ઓફીસ ના રોજ 700 લોકો આવતા હતા અને વર્તમાનમાં પણ આવે છે.
નોંધનીય છે કે, નીતિન પટેલ અને નારણ કાછડિયા વચ્ચે વિવાદનો મુદ્દો ડોક્ટરની બદલીનો છે. જે મહામારી ના સમય દરમિયાન થયો હતો. નારણ કાછડિયા નો આરોપ હતો કે, નીતિન પટેલ તેમની વાત સાંભળતા નથી.
ત્યારે આજ તે મુદ્દે પણ નીતિન પટેલ જવાબ આપતા કહ્યું હતું કે, નારણભાઈએ કયા ડોક્ટર માટે શું ફરિયાદ કરવી તે બાબતે મારા ધ્યાનમાં નથી.
હું ચોક્કસ એટલું કહીશ કે, મહામારી ના સમયમાં નાના ગામડાથી લઈને અમદાવાદ સિવિલ સુધી ડોક્ટરોએ ખૂબ સારી કામગીરી કરી છે. એના માટે શું ફરિયાદ કરી છે, તે મારા ધ્યાનમાં ન હોય અને હવે તો હું મંત્રી નથી, એટલે મારા પાસે રેકોર્ડ ન હોય.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!