મોટા સમાચાર / રાજકારણમાં જોડાવા અંગે નરેશ પટેલે આપ્યુ મોટું નિવેદન કહ્યું કે…
ખોડલધામના પંચમ પાટોત્સવ માટે સચીન જીઆઈડીસીના ઉદ્યોગકારોને આમંત્રણ આપવા આવેલ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન પટેલે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, અત્યારે હું રાજકારણ કે પાવરની વાત કરવા નથી. આ અંગેની વાતચીત 21 મી જાન્યુઆરી પછી કરીશ. નરેશ પટેલે ઉદ્યોગકારોને કહ્યું હતું કે 21મી જાન્યુઆરીએ જો તમારા ધંધા રોજગાર એક દિવસ માટે બંધ રાખીને ખોડલધામ આવું પડે તો પણ તમે માતાજીના પોખણા કરવા માટે આવજો.
સુરતના સરથાણા ખાતે સમસ્ત લેઉવા પટેલ સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અને સાથે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ડાયરો ખોડલધામ ના પાંચ વર્ષ પૂર્ણ થતા પાટોત્સવ ના ભાગરૂપે યોજવામાં આવ્યો હતો. માતાજીની આરતી માં અનેક લોકો હાજર રહ્યા હતા.
જેમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સુરત ખોડલધામ ના કન્વીનર ધાર્મિક માલવયા, પાટીદાર અનામત આંદોલન સમિતિના મુખ્ય કન્વીનર અલ્પેશ કથિરીયા, પાટીદાર નેતા દિનેશ બામણીયા પણ જોડાયા હતા.
જ્યારે મીડિયા દ્વારા નરેશ પટેલને પૂછવામાં આવ્યું કે, કડવા અને લેઉવા પાટીદાર સમાજ સાથે લાવવાની વાત ચાલે છે. ત્યારે તેમને જવાબ આપતા જણાવ્યું હતું કે આ એક નવો વિચાર છે.
એક વર્ષ પહેલાં જ ઊંઝા ગયો હતો જ્યાં શક્ય હોય ત્યાં બન્ને સમાજ મળીને કેમ આગળ વધે તે પ્રકારની તમામ કોશિશો શરુ જ છે.
અન્ય વાતચીતમાં મીડિયા દ્વારા નરેશ પટેલને પૂછવામાં આવ્યું કે, લેઉવા પટેલ સમાજ ની વસ્તીના પ્રમાણમાં સસ્તા કે પછી રાજકાજ મળવા જોઈએ તે મળ્યા છે ખરા ?
તેના જવાબ આપતા તેમણે કહ્યું કે 21 જાન્યુઆરી ના રોજ ખોડલ ધામ પાટોત્સવ મહત્વનો કાર્યક્રમ રાખવામાં આવેલું છે. જો વાત થાય તો પાટીદાર સમાજની અંદર ઘણા બધા પ્રોબ્લેમ ઊભા થવાની સંભાવનાઓ છે, એટલે હું જે પણ રાજકીય વાતો કરીશ, 21 જાન્યુઆરી પછી કરીશ.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!