વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર / શિક્ષણ મંત્રી નું નિવેદન, ઓગસ્ટમાં જ ધોરણ 8 થી 11 ના વર્ગો શરૂ કરવા સરકારની વિચારણા.
આજે મળનારી કેબિનેટની બેઠકમાં શિક્ષણ મંત્રી દ્વારા વિવિધ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા. ખાનગી શાળાઓના સંચાલકો એ વિવિધ જિલ્લાઓમાં શાળા શરૂ કરવા માટે રજૂઆત કરી હતી. શાળાના સંચાલકો ની રજૂઆત આધારે શિક્ષણ મંત્રાલય નિર્ણય લીધો હતો.
ગુજરાતમાં મહામારી ના કેસમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. ગુજરાતમાં લગભગ તમામ વેપાર ધંધા અને અનેક એકમો શરૂ થઈ ગયા છે. જો કે, હજુ પણ ધોરણ ૧ થી ૮ અને ધોરણ 11 ના વર્ગો શરૂ નથી થયા, જેનાથી ખાનગી શાળાના સંચાલકોએ શિક્ષણ વિભાગને રજૂઆત કરી હતી.
આગામી કેબિનેટની બેઠકમાં ધોરણ 8 થી 11 ના વર્ગો શરૂ કરવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે. જેમાં ૧૫ ઓગસ્ટથી ધોરણ 8 થી 11 ના વર્ગો 50% ની ક્ષમતા સાથે શરૂ કરવા માટેની જાહેરાત થઈ શકે છે.
પરંતુ નિષ્ણાત તબીબોએ સરકારને સૂચન કર્યું છે જ્યાં સુધી 18 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને વેક્સિનેશન ન થાય ત્યાં સુધી શાળાઓ શરૂ ન કરવી.
ધોરણ 1 થી 7 સુધી ના વર્ગો શરૂ થવાની શક્યતા ખૂબ ઓછી છે. બુધવારે સાંજ સુધીમાં સરકારે 8 થી 11 ના વર્ગો શરૂ કરવાની જાહેરાત કરી શકે છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!