મોટા સમાચાર / બે પાટીદાર પ્રમુખની નિમણૂંક કરાતા રાજકારણમાં ખળભળાટ
જિલ્લા પ્રમુખ એ તાલુકા પ્રમુખની નિમણૂક કરેલા નામોમાં ગડબડ બે તાલુકા કિસાન મોરચાના પ્રમુખ માંથી સાચું કોણ ? જિલ્લા ભાજપ પ્રમુખ ની જાહેરાત સામે નજર ધ્રાંગધ્રા અને હળવદ વિધાનસભા બેઠક વિસ્તારમાં ચૂંટણી પૂર્વે જ ભાજપના નેતાઓ દ્વારા પાટીદારોમાં ભાગલા પડવાળી રાજનીતિ શરૂ થઈ ગઈ છે.
ભાજપ કિસાન મોરચાના પ્રમુખની નિમણૂંક કરાઇ ત્યારે જિલ્લા પ્રમુખ દ્વારા ધાંગધ્રા તાલુકા કિસાન મોરચાના પ્રમુખ તરીકે મનીષભાઈ પટેલની નિમણૂક કરાઈ હતી.
ત્યાર બાદ આંતરિક વિવાદ સર્જાતા તાલુકા ભાજપ પ્રમુખ ધાંગધ્રા તાલુકા કિસાન મોરચાના પ્રમુખ તરીકે જગદીશ માયાભાઈ પટેલની નિમણૂક કરતો પત્ર જાહેર કર્યો હતો.
જેથી ખેડૂતો લોકો જગદીશભાઈ ને પ્રમુખ માનતા હતા. જિલ્લામાં પાંચ મહાપંચાયત કાર્યક્રમ યોજાવાનો છે. જેમાં તાલુકા શહેર પ્રમુખ અને જવાબદારી સોંપાય છે.
તારીખ 12 માર્ચ ને રવિવારે હળવદ એપીએમસી ખાતે ધાંગધ્રા હળવદ વિધાનસભા સીટના ખેડૂતોની હાજરીમાં નમો કિસાન મહાપંચાયત કાર્યક્રમ યોજાવાનો છે.
કોંગ્રેસમાં ધાંગધ્રા તાલુકા કિસાન મોરચાના ઇન્ચાર્જ તરીકે જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ નંદલાલભાઇ એ નવા પ્રમુખ ને બદલે તેઓએ જાહેર કરેલા જ મનીષભાઈ પટેલને ઇન્ચાર્જ તરીકે જાહેર યાદીમાં સમાવેશ કરેલ છે.
જિલ્લા પ્રમુખ મનિષભાઇ કાનજીભાઈ પટેલ અને ત્યારબાદ તાલુકા ભાજપ પ્રમુખ હસમુખભાઈ પટેલ જગદીશભાઇ ડાયાભાઇ પટેલ નું ધાંગધ્રા તાલુકા કિસાન મોરચાના પ્રમુખ તરીકે નામ જાહેર કર્યું હતું.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!