પાટીદાર નેતા દિનેશ બાંભણિયા નું મોટું નિવેદન, જો સરકાર અમારી માગણી નહીં સ્વીકારે તો….

ગુજરાત પાટીદાર અનામત આંદોલનના આગેવાન અલ્પેશ કથીરિયા ની ચાર માસ બાદ જેલ મુક્ત થતાં ખોડલધામ દર્શન કરવા આવ્યા હતા. માતા ખોડલના ચરણોમાં માથું નમાવીને આશીર્વાદ લીધા હતા. અને આરતી માં ભાગ લીધો હતો. ત્યારબાદ તેઓ રાજકોટ ગોંડલ જેતપુર સહિતના શહેરોમાં પાસ ના કન્વીનરો અને કાર્યકર્તાઓ સાથે મિટિંગ કરી આગામી રણનીતિ અંગે ચર્ચા વિચારણા કરી હતી. અલ્પેશ કથિરિયાએ કહ્યું હતું કે, પાસ ના કાર્યકરો ઉપર જે કેસ છે, તે પાછા ખેંચવામાં આવે અને તેઓને મુક્ત કરવામાં આવે.

આ ઉપરાંત તેમણે માંગણી કરી હતી કે, આંદોલનમાં શહીદ થયેલા પરિવાર સાથે ન્યાય કરવામાં આવે અને તેના પરિવારને સરકારી નોકરી આપી ને સહાય કરવામાં આવે દિનેશ બાભણીયા એ સરકારને કહ્યું હતું કે, જો માં સ્વીકારવામાં નહીં આવે તો 2017 કરતાં પણ ઉગ્ર કાર્યક્રમો થશે, અને વધુ પરિસ્થિતિ ખરાબ થશે.

અલ્પેશ કથીરિયા અને દિનેશ બાભણીયાની લાલજી પટેલ સાથે મુલાકાત થઈ હતી. સમગ્ર બેઠકમાં આગામી સમયમાં યોજાનાર આ આંદોલન અંગે ચર્ચા વિચારણા થઇ હતી.

તેમજ પાટીદાર સમાજના પડતર પ્રશ્નોને લઇને ફરી એકવાર આંદોલન કરશે તેવી ચર્ચા પણ થઇ હતી.જોકે અગાઉ 2015માં એક મોટું આંદોલન હાર્દિક પટેલે ને ચહેરો બનાવી ને કરવામાં આવ્યું હતું. ગત આંદોલનમાં રજૂ કરાયેલી કેટલીક માંગણીઓ ન સ્વીકારાય હતી. તેવી વાત સાથે પાટીદારોનું આંદોલન પાર્ટ -2 શરૂ થશે.

પ્રથમ આંદોલનમાં જીવ ગુમાવનાર યુવકોના પરિવારજનોને નોકરીની માંગ બીજા આંદોલનમાં કરવામાં આવશે, સાથે પ્રથમ આંદોલન દરમિયાન પાટીદારો સામે થયેલા કેસ પરત ખેંચવાની માંગ કરવામાં આવશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *