સૌથી મોટા સમાચાર / આપમાં પડ્યું વધુ એક મોટું ગાબડું, આ દિગ્ગજ નેતા જોડાયા ભાજપમાં
વિધાનસભાની ચૂંટણી પહેલા અને કોંગ્રેસ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે ઉમરપાડા તાલુકામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ મોટું ભંગાણ થયું છે. ઉમરપાડા તાલુકાના અને કોંગ્રેસના કાર્યકરો હોદ્દેદારો એ ભાજપમાં જોડાયા છે. પૂર્વ મંત્રી અને ઉમરપાડા ના ધારાસભ્ય ગણપત વસાવા ના હસ્તે 600 જેટલા કાર્યકરો અને હોદ્દેદારોએ ભાજપનો કેસરીયો ધારણ કર્યો છે.
પૂર્વ મુખ્યમંત્રીના હસ્તે તેઓ ભાજપમાં જોડાયા હતા નોંધનીય છે કે અગાઉ સુરતના પાટીદાર નેતા મહેશ સવાણી અને ગુજરાતી સિંગર વિજય સુવાળા આમ આદમી પાર્ટી છોડીને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.
આમ આદમી પાર્ટીમાંથી લોક ગાયક વિજય સુવાળા અને મહેશ સવાણી રાજીનામું આપતા પાર્ટીમાં ખળભળાટ મચ્યો હતો.
આ પત્રકાર પરિષદમાં ઈશુદાન ગઢવી વિજય સુવાળા અને મહેશ સવાણી નો આભાર માન્યો હતો તેમણે કહ્યું હતું કે, દુઃખ સાથે કહેવું પડે છે કે અમારા બે વીરો મારો સાથ છોડ્યો છે.
અમે હંમેશા તેમનો આભાર માનું છું કે આ બંને અમારી સાથે રહ્યા હતા અને પૂરેપૂરી તાકાતથી અમારી સાથે કામ કર્યું હતું.
આમ આદમી પાર્ટીમાં આંતરિક વિખવાદ અને મુદ્દાની વહેંચણી મામલે થયેલી નારાજગીને કારણે નેતાઓએ પાર્ટી છોડી હોવાની ચર્ચા સામે આવી હતી. આગામી દિવસોમાં જ કેટલાક નેતાઓ અને કાર્યકર્તાઓ પણ પાર્ટી સાથે છેડો ફાડી તેવી પુરેપુરી શક્યતા જણાઈ રહી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!