આ સમાજ ને રીઝવવા ભાજપે ઘડીઓ માસ્ટર પ્લાન, આપ અને કોંગ્રેસમાં દોડધામ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગે તે પહેલા તમામ રાજકીય પાર્ટીઓ મત આકર્ષવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. રાજકીય પાર્ટીઓ જ્ઞાતિ-જાતિના સમિકરણો પર કામ કરી રહ્યા છે. આજથી ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ નર્મદા જિલ્લાનાં પ્રવાસે છે. નર્મદામાં પાટીલ વનડે વનડે યોજના અંતર્ગત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.
સાથે સાંજે 5:30 વાગ્યે સમિતિના સભ્યોને સંબોધિત કરશે. આદિવાસી મતોને અંકે કરવા માટે સી.આર.પાટીલ પોતે મોરચો સંભાળ્યો છે. ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં BTP ના ગઢ માનવામાં આવે છે.
અને વર્ષોથી આ વિસ્તારની બેઠક પર બીજેપી નો કબજો છે. ત્યારે 182 બેઠક પૂર્ણ કરવા માટે ભાજપ હવે આદિવાસી મંત્રી જોવા માટેની કવાયતો શરૂ કરી દીધી છે.
આદિવાસી જ્ઞાતિના ગણિત નજર કરીએ તો 15 ટકા વસતી ધરાવતા આદિવાસીઓને 38 બેઠક પર પ્રભુત્વ છે. જેમાં રાજ્યના દક્ષિણ મધ્ય અને ઉત્તર ગુજરાતનો સમાવેશ થાય છે.
આદિવાસી પૂર્વ પટ્ટીના 14 જિલ્લા ભાજપ 182 બેઠકો નું સપનું સાકાર કરી શકે છે. આગામી વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય કવાયતો શરૂ થઈ ગઈ છે.
બેઠકોના દોર શરૂ થઈ ગયા છે અને તમામ વર્ગને રીઝવવાનો શરૂ થઈ ગયું છે. એ મહત્વનું છે કે 27મી બેઠકોમાંથી 15 બેઠક પર કોંગ્રેસ અને બેઠક પર કબજો છે. જ્યારે ભાજપ પાસે માત્ર 9 બેઠક છે. ત્યારે બીટીબીના ગઢમાં ગાબડું પાડી નર્મદાની બેઠક કબજે કરવા માટે ભાજપ મથામણ કરી રહી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!