નીતિન પટેલ સાથે ભાજપે અનેકવાર અન્યાય કર્યો, આ દિગ્ગજ નેતાએ આપ્યું ચોકાવનારું નિવેદન..
ગુજરાતના રાજકારણમાં રાજકીય સમીકરણો બદલાયા છે. વિજય રૂપાણી મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપતા ભૂપેન્દ્ર પટેલે નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. તો સાથે ભુપેન્દ્ર પટેલ ના નવા મંત્રીમંડળની રચના થઈ ગઈ છે. અને તમામ મંત્રીઓને તેમાં ખાતા ફાળવી દેવામાં આવ્યા છે. હવે મંત્રીઓ તેમની જવાબદારી સંભાળી રહ્યા છે.
તો બીજી તરફ વિધાનસભાની ચૂંટણીની તૈયારી ને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા જનસંપર્ક શરૂ કરવામાં આવી ગયો છે. આમ આદમી પાર્ટી દ્વારા સંવેદના યાત્રા દ્વારા લોકોની મુલાકાત કરવામાં આવી રહી છે.
ત્યારે મહેસાણામાં સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા ન્યાય યાત્રાને લઈને એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.
ત્યારે ગુજરાત કોંગ્રેસના અગ્રણી અને પૂર્વ મંત્રી નરેશ રાવલ એ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. નરેશ રાવલ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ને લઈને મોટું નિવેદન આપ્યું હતું.
નરેશ રાવલ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાઓ નીતિનભાઈ સાથે અન્યાય કરી રહ્યા છે.
ન્યાયતંત્ર દ્વારા કોંગ્રેસના કાર્યકર્તા નેતા અને અગ્રણીઓએ મહેસાણાના અલગ-અલગ ગામડામાં મહામારી થી મૃત્યુ પામેલા લોકોના પરિવાર સાથે મળીને તેમને સાંત્વના આપી હતી.
અને તેઓને સહાય કરવા માટે કોંગ્રેસ દ્વારા આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે નીતિન પટેલ બાબતે વધુમાં જણાવ્યું હતું કે, તેઓ ભાજપના વરિષ્ઠ નેતા છે.
અને એમની સાથે ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાઓએ એકવાર નહીં પરંતુ અનેક વાર અન્યાય કર્યો છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!