ભાજપના નેતાનું ચોંકાવનારું નિવેદન, કોંગ્રેસના આ દિગ્ગજ નેતા જોડાઈ શકે છે ભાજપમાં
ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ એપી અબ્દુલ્લા કટ્ટી એ જણાવ્યું હતું કે, મને વિશ્વાસ છે કે રાજસ્થાનના પૂર્વ ઉપમુખ્યમંત્રી સચિન પાયલટ વહેલી તકે ભાજપમાં સામેલ થઈ શકે છે. સચિન પાયલટ એક સારા નેતા છે. જેમને કોંગ્રેસમાં માન આપવામાં આવતું નથી. મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયા અને ઉત્તર પ્રદેશમાં જતીન પ્રસાદ સમય રહેતા કોંગ્રેસમાં રાજીનામું આપી દીધું હતું.
ભાજપના નેતા દાવો કરી રહ્યા છે કે, સચિન પાયલટ ભાજપમાં જોડાશે. સચિન પાયલટ સારા નેતા છે. સાથે સાથે જણાવ્યું હતું કે, જીતીન અને સિંધિયાની જેમ તેઓ પણ ભાજપમાં આવશે.
ભાજપના નેતાએ જણાવ્યું હતું કે, સચિન પાયલટ આગામી સમયમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં સામેલ થઈ શકે છે. હવે લોકોને આશા છે કે, પાયલટ પણ વહેલી તકે કોંગ્રેસ છોડી દેશે.
સચિન પાયલટ નું ભવિષ્ય ભાજપના સારું રહેશે. અબ્દુલ્લા કટ્ટી એ કહ્યું હતું કે, હિન્દુ-મુસ્લિમ ના ડીએનએ એક છે. ભાજપ બધાને સાથે લઈને ચાલે છે. આ વાત ખોટી છે કે, ભાજપ મુસ્લિમ વિરોધી છે.
ભાજપ બધાને સાથે રાખીને આગળ ચાલે છે. મુસ્લિમ સમાજ પણ હવે ભાજપની તરફેણમાં આવી રહ્યો છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!