Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
OBC મતદારોને આકર્ષવા માટે ભાજપે ઘડીયો માસ્ટરપ્લાન, કોંગ્રેસ અને આપ માં ખળભળાટ - GUJJUFAN

OBC મતદારોને આકર્ષવા માટે ભાજપે ઘડીયો માસ્ટરપ્લાન, કોંગ્રેસ અને આપ માં ખળભળાટ

ભાજપે આગામી ચૂંટણી જીતવા માટે નવી રણનીતિ શરૂ કરી દીધી છે. ભાજપે ઓબીસી મોરચાના એક્ટિવ કર્યો છે. ક્યારે તાળી એક હાથે નથી પડતી, એવી જ રીતે ચૂંટણીમાં પણ ક્યારેક સમૂહ કે સમાજ ના આધારે જીત થતી નથી. આવા જ સારી રીતે જાણે છે તેવામાં વિધાનસભા ચૂંટણી પહેલા SC મોરચાની OBC મોરચો પણ એક્ટિવ બન્યો છે.

ખાટલા બેઠક દ્વારા ગામેગામ સુધી પહોંચવામાં આવશે સૌ કોઈ જાણે છે કે, 2022 વિધાનસભાની ચૂંટણી ગુજરાતમાં લોકો ના મુદ્દા પર નહીં, પરંતુ નાત જાત પર લડી રહ્યા છે.

તેવામાં ભાજપમાં નાનામાં નાની જાતિના લોકો પણ પોતાની સાથે વાત કરવા માંગે છે. આ માટે હાલ ભાજપની નજર એસસી અને ઓબીસી મત પર છે. ખાસ કરીને ઓબીસી મતદારો પર કારણ કે સૌથી વધુ ગુજરાતમાં ઓબીસીની વસતી છે.

અને ઓબીસી સમાજને એક પણ નાનામાં નાની જ્ઞાતિ છૂટી ન જાય તે માટે અમદાવાદ ખાતે ઓબીસી મોરચાની બેઠક યોજાઇ હતી. જેમાં ખાટલા બેઠક દ્વારા ગામેગામ સુધી આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતની રાજનીતિમાં ઓબીસી મતદાર એટલે કે સત્તા પરિવર્તન અને સત્તા સુધી પહોંચવાનો એક માત્ર રસ્તો. કારણ કે ભૂતકાળમાં પણ ઓબીસી મતદારોમાં દમ પર પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ ગુજરાતમાં સત્તા મેળવી હતી.

ગુજરાતમાં ઓબીસી સમાજની વસ્તી 49 ટકા છે. 49 ટકા માંથી 38 ટકા વસ્તી ઠાકોર અને કોળી સમાજની છે. જ્યારે બાકીના 11% અનેક નાના-નાના સમાચાર આવેલા છે. તેવામાં આ 11 ટકા મતદારો સુધી પહોંચવા માટે ભાજપના નેતાઓ મેદાને ઉતરી ચૂક્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *